હૈદરાબાદ:ભારત સરકારે જિલ્લા કૃષિ હવામાન એકમો (District Agro-Meteorology Unit) ને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે. આ એકમો અગાઉ એડ-હોક ધોરણે કામ કરતા હતા અને નીતિ આયોગની ભલામણોને પગલે ગયા વર્ષે તેમને બંધ કરવામાં આવ્યા હતા. જો કે, હવે સરકાર ખેડૂતો માટે આઅ એકમના મહત્વને ઓળખીને તેમને કાયમી માળખામાં સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.
DAMU ખેડૂતો માટે વરદાન છે:બ્લોક સ્તરે ખેડૂતોને હવામાન સલાહ આપવા માટે DAMU મહત્વપૂર્ણ છે. તે ગ્રામીણ કૃષિ હવામાન સેવા સાથે નજીકથી કામ કરે છે અને વિવિધ કૃષિ-આબોહવા ઝોનમાં ખેડૂતોને સચોટ સલાહ આપે છે. આનાથી ખેડૂતોને કયા પાકની વાવણી કરવી, ક્યારે સિંચાઈ કરવી અને ક્યારે ખાતર આપવું તે નક્કી કરવામાં મદદ મળે છે. આ માહિતી ખેડૂતોને પાકની ઉપજ વધારવા અને આબોહવા સંબંધિત નુકસાન ઘટાડવામાં મદદ કરે છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે PMOને પત્ર લખ્યો છે: પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે, સરકાર કૃષિને મહત્વપૂર્ણ હવામાન સેવાઓ પ્રદાન કરવા માટે મજબૂત માળખાની જરૂરિયાતને સમજી રહી છે. પરિણામે સરકારે DAMU ને પુનઃજીવિત કરવાને પ્રાથમિકતા આપી છે.