ભુવનેશ્વર: ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે માછીમારો માટે એક એડવાઈઝરી જારી કરી છે અને તેમને ચક્રવાતી તોફાનના કારણે 25 ઓક્ટોબર સુધી ઓડિશાના કિનારે આવેલા દરિયામાં ન જવાની સલાહ આપી છે. ચક્રવાતને કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે, 23 ઓક્ટોબરે ઓડિશાના કિનારે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે.
"19 ઑક્ટોબરે મધ્ય આંદામાન સમુદ્ર પર બનેલો અપર એર સાયક્લોનિક વિસ્તાર 20 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 8:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) ઉત્તર આંદામાન સમુદ્ર પર હતો. તેના પ્રભાવ હેઠળ, મધ્ય આંદામાન સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ દરમિયાન આગામી 24 કલાક," IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. "પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેને લગતા ઉત્તર આંદામાન સમુદ્ર પર લો પ્રેશર વિસ્તાર રચાય તેવી શક્યતા છે."
IMDએ જણાવ્યું હતું કે, નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને પછી 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.