ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહાકુંભમાં લાગ્યો બોલિવૂડનો મેળો, અક્ષય કુમાર, કેટરીના સહિત અનેક VIP લોકોએ લગાવી ડૂબકી - MAHA KUMBH MELA 2025

મહારાષ્ટ સરકારના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત ઘણા મંત્રી તેમજ બૉલીવુડ એક્ટર-એક્ટ્રેસ મહાકુંભમાં પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી.

મહાકુંભમાં લાગ્યો બોલિવૂડનો મેળો
મહાકુંભમાં લાગ્યો બોલિવૂડનો મેળો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2025, 1:22 PM IST

પ્રયાગરાજ:મહાકુંભને સમાપ્ત થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આવા સમયે શ્રદ્ધાળુઓ સાથે સાથે વીઆઈપી લોકો પણ મહાકુંભની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન સોમવારે બોલિવૂડની જાણીતી હસ્તીઓ અક્ષય કુમાર, કેટરીના કૈફ અને અભિષેક બેનરજી તેમના પરિચિત વ્યક્તિ સાથે મહાકુંભ પહોંચીને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.

ખૂબ જ સરસ અનુભવ હતો: ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ એક્ટર અક્ષય કુમારે મહાકુંભમાં ગોઠવેલ વ્યવસ્થા બદલ સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. અક્ષય કુમારે કહ્યું કે, ખૂબ જ સરસ અનુભવ થયો. અહીં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે હું યોગી આદિત્યનાથને ધન્યવાદ કરું છું. આ કુંભમાં ખૂબ મોત મોત લોકો આવી રહ્યા છે અને તે માટે ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. હું બધા જ કર્મચારી અને પોલીસનો આભાર માનું છું.

કેટરીના કૈફ મહાકુંભમાં:બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરીના કૈફ તેની માતા સાથે સોમવારે મહાકુંભ પહોંચી હતી. તેને ત્રિવેણી સંગમમાં દર્શન અને પૂજા કર્યા બાદ પરમાર્થ નિકેતન શિબિરમાં જઈને સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતીને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે કેટરીના કૈફે કહ્યું કે, 'મહાકુંભ આવીને ખૂબ સરસ લાગી રહ્યું છે. અહીં ખુશીની અનુભૂતિ થઈ રહી છે.'

સ્વામી ચિદાનંદે કેટરિનાને આશીર્વાદ આપ્યા બાદ તેને તિલક પણ લગાવ્યો હતો, અને ભગવાન શિવની મૂર્તિ સાથે રુદ્રાક્ષનો છોડ ભેટ આપ્યો હતો. સ્વામી ચિદાનંદ સરસ્વતીએ કહ્યું કે, જ્યારે બોલીવુડ જેવા લોકપ્રિય ઇન્ડસ્ટ્રીના લોકો મહાકુંભમાં આવે છે તે તેમણે જોઈને સમાજના યુવાનો પણ ધર્મ અને સંસ્કૃતિથી જોડાવા માટે પ્રેરિત થાય છે. આ સાથે એ સંદેશ પણ જાય છે કે, આધ્યાત્મિકતા માત્ર સાધુ સંતો સુધી સીમિત નથી, પણ એ સમાજના દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન અંગ બની શકે છે.

સાધ્વી ભગવતી સરસ્વતીએ કહ્યું કે, 'યુવા પેઢી એ સમજવું જોઈએ કે, આધ્યાત્મિકતા એ માત્ર વૃદ્ધો અને સંતો માટે જ નથી પણ બધા જ વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ છે અને બધાએ આ બાબત સમજી તેનું પાલન કરવું જોઈએ.'

ખૂબ સરસ અનુભવ રહ્યો:સ્ત્રી-2 મૂવી, પાતાલલોક જેવી વેબ સિરીઝમાં કામ કરીને પ્રખ્યાત થયેલ એક્ટર અભિષેક બેનર્જી પણ મહાકુંભમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. અભિષેકે કહ્યું કે, તે 7 દિવસથી ફિલ્મની શૂટિંગ કરી રહ્યો છે. અહીં રહીને સંપૂર્ણ દુનિયા જોવા મળી રહી છે. અહીનો અનુભવ ખૂબ સરસ રહ્યો છે. અહીંના નજારા પોતાનામાં જ અદ્ધભૂત છે.

મહારાષ્ટ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી પંકજ ગોપીનાથ મુંડેએ પણ સોમવારે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. સ્નાન બાદ તેમણે કહ્યું કે, 'એક પર્યાવરણ મંત્રી હોવાના નાતે, હું 2027 માં ત્ર્યંબકેશ્વર (નાસિક) માં યોજાનાર કુંભને ધ્યાનમાં રાખીને યુપી સરકારે આટલી મોટી ભીડનું સંચાલન કેવી રીતે કર્યું તેનો અભ્યાસ કરવા આવી છું.'

ધર્મ, અધ્યાત્મ અને આસ્થાનો મહાપર્વ:મહારાષ્ટ સરકારના ઉપપ્રમુખ એકનાથ શિંદેએ પણ પણ તેમના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. તેમણે આ મુદ્દે જણાવતા કહ્યું કે, ધર્મ, અધ્યાત્મ અને આસ્થાના આ મહાપર્વ મહાકુંભ 2025 માં હું સમિલ થઈને ધન્યતા અનુભવું છું. મહાકુંભ એ આપણા ધર્મનું પ્રતિક છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીના માર્ગદર્શન હેઠળ કુંભની વ્યવસ્થા કરવામાં આવી છે તે ખરેખર સરાહનીય છે. ડૂબકી લગાવ્યા બાદ હું ગર્વ અનુભવું છું. પ્રયાગરાજ એક પવિત્ર ભૂમિ છે, અહીં બધા જ લોકો એક સમાન છે. અહીં કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ નથી. મુખ્યમંત્રી યોગી પોતે આ આયોજનમાં જોડાયા છે. આ વિશ્વનો સૌથી મોટો મહાકુંભ છે. અહીં આવનાર કઈક ને કઈક લઈને જ જાય છે. યુપી સરકારના ઔદ્યોગિક મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ એકનાથ શિંદેનું સ્વાગત કર્યું હતું.

આટલા વીઆઈપી પહોંચ્યા મહાકુંભમાં:

ત્રિપુરા સરકારના નાણામંત્રી પ્રણજીત સિંહા રાયે તેમના પરિવાર સાથે આજે મહા કુંભ મેળામાં સ્નાન કર્યું હતું. મંત્રી રતન લાલ નાથ, કેબિનેટ મંત્રી સુધાંશુ દાસ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના રાજ્ય મંત્રી માધુરી મિસાલ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે, કેબિનેટ મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડે, ઓરિસ્સા સરકારના નાયબ મુખ્યપ્રધાન કે.વી. સિંહ દેવ, કર્ણાટક વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા ટી. નારાયણ સ્વામી, સાંસદ ડૉ. ભાગવત કરડ, ઉત્તરાખંડ સરકારના નાણાપ્રધાન અગ્રવાલ કમિશનના સભ્ય મદગુરુ, રાષ્ટ્રીય અધ્યક્ષ જગર્ભુચંદ્ર ઉમરેઠના સભ્યો હાજર રહ્યા હતા.

નવી દિલ્હીના મેમ્બર ડો. અર્ચના મજમુદાર, એમપી ફગ્ગન. સિંહ કુલસ્તે, હરિયાણાના ગવર્નર ડૉ. વસંત રાવ, સાંસદ દરજ્જા ધરાવતા કેબિનેટ મંત્રી સાવન સોનકર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, નાયબ ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ, મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવા, યુપી સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અધ્યક્ષ રાકેશ ગર્ગ, મહારાષ્ટ્રના ધારાસભ્ય શ્રીકાંત ભારતીય, મહારાષ્ટ્રના મંત્રી ડૉ. ઉદય સામંત, ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ડૉ. અજિતા ભટ્ટાચાર્ય, ઝારખંડના રાજ્યસભાના સભ્ય ડૉ. મહુઆ માંઝી, પશ્ચિમ બંગાળના બગુનાથપુર પુરુલિયાના ધારાસભ્ય વિવેકાનંદ બૌરી, પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના સાંસદ મનોજ તિગ્ગા, મહારાષ્ટ્ર સરકારના પ્રમુખ રામ શંકરાજી મહારાજા, શ્રીમતી શંકરાચાર્ય રામજી મહારાજ ડી, મુખ્ય સચિવ સુજાતા સૌનિક, રાજ્ય મંત્રી અજય તમટા, સાંસદ કમલજીત સેહરાવત, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગુલાબ રાવ પાટીલ, કાશી મથાધીશ શ્રી શ્રી સંન્યામિંદર તીર્થ સ્વામીજી, મહારાષ્ટ્ર સરકારના મંત્રી દાદાજી ભુસે, પીઠાધિપતિ 1008 શ્રી સત્યમતીર્થ સ્વામી વગેરેએ સંગમમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો:

  1. મહાશિવરાત્રિ 2025 પર 152 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ રાશિઓને લાગશે લોટરી, જાણો
  2. હોળી પર ટિપ્પણી કરવા બદલ ફરાહ ખાન ફસાઈ, 'હિન્દુસ્તાની ભાઉ'એ ફરિયાદ નોંધાવી

ABOUT THE AUTHOR

...view details