જામનગરના ઓશવાળ સેન્ટર પર ઉમટેલા માનવ મહેરામણને હટાવવામાં આવ્યા
જામનગરઃ જિલ્લાના ઓશવાળ સેન્ટર પર ઉમટેલા માનવ મહેરામણને કોવિડની મહામારીના કારણે પોલીસે ટોળાને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન LCB, SOG અને ડી સ્ટાફ સહિતના પોલીસ કર્મીઓ અહીંથી મતગણતરી સેન્ટર પર ભેગા થયેલા લોકોના ટોળાંએ હટાવવામાં આવી રહ્યા છે. એક બાજુ કોરોનાની વૈશ્વિક મહામારી છે અને લોકો ટોળામાં એકઠા ન થાય તે માટે રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. જોકે ઓશવાળ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં તમામ પાર્ટીના સમર્થકો ઉમટ્યા હતા.