પોરબંદરમાં મેળાના ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીમાં ન્હાવા પડેલા યુવાનનું મોત

By

Published : Sep 2, 2020, 2:13 PM IST

thumbnail
પોરબંદરના માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. આ પૂરના પાણીમાં એક યુવાન ન્હાવા ગયો હતો. આ દરમિયાન 22 વર્ષનો આ યુવાન ડૂબી જતા તેનુ મૃત્યું થયુ હતુ. સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા ગામના 5 યુવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકને પૂરમાંથી બહાર કાઢી તાત્કાલિક માધવપુર સામુહિક આરોગ્ય કેન્દ્રએ ખસેડ્યો હતો. જ્યાં તે યુવાનને સામુહિક આરોગ્ય તબીબે મૃત જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.