thumbnail

By

Published : Feb 13, 2020, 6:20 PM IST

ETV Bharat / Videos

ભરૂચ: મનુબર ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં લીકેજ, ખેડૂતોના ઉભા પાકને નુકસાન

ભરૂચઃ તાલુકાના મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની સબ માઈનોર કેનાલમાં લીકેજથી દોડધામ મચી ગઇ હતી. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું. મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની સબ માઈનોર કેનાલ જર્જરિત બની છે. કેનાલમાં પાણી આવતા તે ઓવરફલો સાથે ભંગાણ સર્જાયું હતું. જેના કારણે કેનાલનું પાણી નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન પહોચ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.