ભરૂચ: મનુબર ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં લીકેજ, ખેડૂતોના ઉભા પાકને નુકસાન - Bharuch samachar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6061336-thumbnail-3x2-dfjgdfg.jpg)
ભરૂચઃ તાલુકાના મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની સબ માઈનોર કેનાલમાં લીકેજથી દોડધામ મચી ગઇ હતી. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું. મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની સબ માઈનોર કેનાલ જર્જરિત બની છે. કેનાલમાં પાણી આવતા તે ઓવરફલો સાથે ભંગાણ સર્જાયું હતું. જેના કારણે કેનાલનું પાણી નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન પહોચ્યું હતું.