પોરબંદરના દરિયા કિનારે-ચોપાટી પર 6 થી 8 નવેમ્બર સુધી પ્રતિબંધ
પોરબંદર: જિલ્લામાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. રાજ્ય પર 'મહા' વાવાઝોડાનું જોખમ છે.પોરબંદરના દરિયા કિનારે લોકોની સલામતી માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ માનવા જાનહાની કે, અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પગલા લેવા જરૂરી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર રાજેશ તન્નાએ જાહેરનામું જાહેર કરી 6 થી 8 નવેમ્બર સુધી પોરબંદરના દરિયા કિનારે ચોપાટી પર વ્યકિતના અવર જવર માટે પ્રતિબંધ લગાવ્યો છે.