પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો શહેરા ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો - પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો શુભારંભ
🎬 Watch Now: Feature Video
પંચમહાલ જિલ્લામાં શહેરા ખાતેથી નિરામય ગુજરાત અભિયાન (Niramaya Gujarat Abhiyan)નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, કાર્યક્રમના સ્થળે દસ જેટલી આરોગ્ય સેવાઓ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા રાજ્યનાં ત્રણ કરોડ 30 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ મળવાનો છે, તેમજ આ કેમ્પોમાં તજજ્ઞ ડોક્ટરો દ્વારા બિન ચેપી રોગની સારવાર ઉપલબ્ધ બનવાની છે, ત્યારે વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ કરી હતી. જિલ્લાના તમામ નાગરિકો આ અભિયાનમાં જોડાય, આરોગ્ય વિભાગની સ્ક્રિનીંગ સહિતની પ્રવૃતિઓમાં સક્રિય સહયોગ આપે તેમજ નિરામય શહેરા, નિરામય પંચમહાલ અને નિરામય ગુજરાતનાં નિર્માણનાં ધ્યેયને પૂર્ણ કરવામાં સહભાગી થાય તેવી અપીલ જેઠાભાઈએ કરી હતી.