મોરબીના નવલખી બંદર પર જોવા મળી ‘વાયુ’ની અસર
મોરબી: વાયુ વાવાઝોડાના સમાચારે સર્વત્ર ગંભીર માહોલ સર્જાવી દીધો છે. ત્યારે તેની અસર બધે જોવા મળી રહી છે. મોરબીના નવલખી બંદર પર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઇ રહ્યો છે. તેમજ પોર્ટ પણ સાવ ખાલીખમ જોવા મળી રહ્યો છે.