thumbnail

મહીસાગર કલેકટરે જિલ્લા વાસીઓને કોરોના અંગે સાવચેતી રાખવા કરી અપીલ

By

Published : Mar 23, 2020, 9:56 PM IST

મહીસાગર : કલેકટર આર.બી.બારડે નાવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે જિલ્લાની તમામ જનતાને કોરોના વાઇરસના ચેપથી બચવા અપીલ કરી છે. તેમજ તેની તકેદારી માટે શું પગલાં લેવા તે જણાવ્યું છે. કોરોના વાઇરસથી બચવા શું તકેદારી રાખવી તે માટે જરૂરી સૂચન કર્યા છે. જયાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા ખાસ જણાવ્યું છે. તેમજ જાહેર જનતાને બે કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા ન થવુ અને દરેકે પોતાના ઘરમાં રહેવા કલેકટરે અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.