ભુજ તાલુકાના ભુજોડી ગામે ઉકાળાનું વિતરણ - Health and Family Welfare Department
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11340010-thumbnail-3x2-bhujjj.jpg)
કચ્છઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી અને જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાના ભુજોડી ગામે ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉકાળા વિતરણનો લાભ ગામ લોકોએ લીધો હતો. મેડિકલ ઓફિસર પરેશ સચદે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઉકાળા વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો છે. આ ઉકાળા સાથે સંશમનીવટી ગોળી પણ આપવામાં આવી હતી.
Last Updated : Apr 9, 2021, 7:18 PM IST