અમદાવાદમાં રથયાત્રા યોજવા ભક્તોએ કર્યા સુત્રોચ્ચાર
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7715687-434-7715687-1592768495156.jpg)
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે અને તેનાથી કોરોના સંક્રમણની ભીતી સર્જાઇ શકે તેવી સંભાવના છે જેના પગલે હાઇકોર્ટ દ્વારા રથયાત્રા ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ તકે કેટલાક ભક્તોએ આજે રવિવારે જગન્નાથ મંદિર ખાતે પહોંચી અને મંદિરના દરવાજા પાસે રથયાત્રા યોજવા અંગેના નારા લગાવ્યા હતાં.