કોવિડ દર્દીઓના લાભાર્થે જોડિયામાં રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Jul 6, 2020, 7:01 PM IST

thumbnail
જામનગર: જી જી હોસ્પિટલના સહકારથી જોડીયા તાલુકાની મામલતદાર કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન થેલેસેમિયાના બાળકો અને અન્ય જરૂરીયાત મંદ દર્દીઓને રક્ત સરળતાથી મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 63 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. પ્રાંત અધિકારી આસ્થા બેન સહિત આ કેમ્પમાં શિક્ષકો, તાલુકા પંચાયતના સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, હોમગાર્ડના જવાનો, આરોગ્ય ઓફિસનો સ્ટાફ, જોડિયા PSI એસ. વી. રામાણી, પોલીસ જવાનો અને સરપંચો સહિતના લોકોએ ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.