thumbnail

By

Published : Mar 1, 2020, 4:55 PM IST

ETV Bharat / Videos

ભરૂચમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે શુક્લતીર્થ ઉત્સવનો કરાયો પ્રારંભ

ભરૂચઃ જિલ્લાના શુક્લતીર્થ ગામ ખાતે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે શુક્લતીર્થ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમા રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજનમાં લોકડાયરો, આદિવાસી નૃત્ય, ગરબા-રાસ જેવા સાંસ્કૃત્તિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, તાલુકા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાયક્રમો માણ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.