ભરૂચ કોંગ્રેસ દ્વારા ભારત-ચીન સરહદ પર શહીદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાસુમન અપર્ણ કરાયા
ભરૂચઃ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત-ચીન સરહદ પર તણાવ વચ્ચે ભારતીય સેનાના 20 જેટલા જવાનોએ શહીદી વહોરી છે, ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ સાથે ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. આઝાદીની ચળવળમાં કેન્દ્ર સ્થાને રહેલ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દીપ પ્રજવલન કર્યું હતું અને બે મિનીટનું મોંન પાળી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીકી શોખી, પ્રવક્તા નાઝૂ ફડવાલા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા ભારત સરકાર ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.