Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને અર્ધ નારેશ્વરનો શણગાર કરાયો - Somnath Mahadev was decorated with Ardha Nareshwar

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 7:05 AM IST

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સનાતન ધર્મના પવિત્ર મહિના દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે અર્ધનારેશ્વરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સંધ્યા આરતી પૂર્વે કરવામાં આપેલા આ શણગારના દર્શન કરીને શિવ ભક્તો ભારે અભિભૂત થયા હતા. શ્રાવણ મહિનાના 30 દિવસ દરમિયાન સોમેશ્વર મહાદેવને વિવિધ શણગારોથી સુશોભીત કરવામાં આવી રહ્યા છે. ચંદ્રયાનની વિશેષ સફળતાને કારણે મહાદેવને અર્ધ નારેશ્વરની સાથે ચંદ્ર ધારણ કરીને એક અનોખા શણગારના રૂપમાં દર્શન માટે સુશોભિત કરાયા હતા. સનાતન ધર્મમાં શિવ અને શક્તિને જોડીને તેની પૂજા કરવામાં આવે છે. અર્ધનારેશ્વર એટલે કે શિવ અને શક્તિના રૂપમાં સોમનાથ મહાદેવ દર્શન આપ્યા હતા. જેને નજર સમક્ષ નિહાળીને શિવ ભક્તો ભાવવિભોર બન્યા હતા.

  1. Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો સૂર્ય દર્શનનો શણગાર, ભાવિકોએ કર્યા મન ભરીને દર્શન
  2. Somnath Mahadev Temple : પ્રથમ સોમવારે 45 હજાર કરતાં વધુ શિવ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.