thumbnail

By

Published : Nov 30, 2022, 12:27 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / Videos

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અહંકાર ને તોડશે જનતા: મોઢવાડીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં કોંગ્રેસ નેતા અને વિધાનસભા સીટ 83 પોરબંદર પરના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ (Congress candidate Arjun Modhwadia) પ્રેસ કૉન્ફ્રરન્સ યોજી ભાજપ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષ થી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. જેના લીધે ભાજપને અહંકાર આવી ગયો છે. આવનારી ચૂંટણીમાં જનતા આ અહંકાર તોડસે અને કોંગ્રેસને જીતાડશે ભાજપની દાદાગીરી, મોંઘવારી, અને ગુંડાગીરીથી લોકો કંટાળી ગયા છે. અને લોકો પરિવર્તન માંગે છે.આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ભાજપની બી ટિમ ગણાવી હતી. અને આવા પક્ષો માત્ર ચૂંટણી સમયે જ દેખાય તેમ જણાવ્યું હતું. ગુજરાતની પ્રજા સમજદાર છેય ગુજરાતનું હિત ધ્યાને રાખીને મતદાન કરશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.