વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અહંકાર ને તોડશે જનતા: મોઢવાડીયા - આમ આદમી પાર્ટી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17069715-thumbnail-3x2-ar-aspera.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં કોંગ્રેસ નેતા અને વિધાનસભા સીટ 83 પોરબંદર પરના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ (Congress candidate Arjun Modhwadia) પ્રેસ કૉન્ફ્રરન્સ યોજી ભાજપ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષ થી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. જેના લીધે ભાજપને અહંકાર આવી ગયો છે. આવનારી ચૂંટણીમાં જનતા આ અહંકાર તોડસે અને કોંગ્રેસને જીતાડશે ભાજપની દાદાગીરી, મોંઘવારી, અને ગુંડાગીરીથી લોકો કંટાળી ગયા છે. અને લોકો પરિવર્તન માંગે છે.આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ભાજપની બી ટિમ ગણાવી હતી. અને આવા પક્ષો માત્ર ચૂંટણી સમયે જ દેખાય તેમ જણાવ્યું હતું. ગુજરાતની પ્રજા સમજદાર છેય ગુજરાતનું હિત ધ્યાને રાખીને મતદાન કરશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST