રાજકોટ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનનો નવો ડોઝ આપવામાં આવ્યો
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10904354-thumbnail-3x2-11.jpg)
રાજકોટઃ સમગ્ર રાજ્યભરમાં કોરોનાનો નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનનો નવો ડોઝ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો નવો ડોઝ લીધો છે. આ તકે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો આગળ આવે અને કોરોનાની વેક્સિન મુકાવે. વેક્સિન સુરક્ષિત છે, લોકો પોતાના મનમાં કોઈ પણ જાતનો ડર ન રાખે.