thumbnail

Jai Jagannath: દેવદલન છે ભગવાન જગન્નાથ અને બલભદ્રની બહેન દેવી સુભદ્રનો રથ

By

Published : Jul 8, 2021, 9:14 AM IST

ભગવાન જગન્નાથ અને બલભદ્રની બહેન દેવી સુભદ્રના રથને દેવદલનના નામથી ઓળખવામાં આવે છે. આને દર્પદલન અને પદ્મધ્વજ પણ કહેવામાં આવે છે. આ રથમાં દેવી સુભદ્રાનો સાથ સુદર્શન આપે છે. દેવી સુભદ્રાનો રથ લાલ અને કાળા રંગનો હોય છે અને આ ત્રણેય રથમાં સૌથી નાનો હોય છે. કુલ 593 લાકડીના ટુકડાથી બનેલા દેવી સુભદ્રા જીના રથની ઉંચાઈ 44.6 ફૂટ હોય છે. દેવદલન રથમાં લાલ રંગના ચાર ઘોડા હોય છે- રોચિકા, મોચિકા, જીતા અને અપરાજિતા. આ રથમાં 12 પૈડાં છે. દેવદલનના રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. આ રથના ધ્વજને નદંબિક કહેવામાં આવે છે. આને ખેંચનારા દોરડાને સ્વર્ણચુડ કહે છે. દેવદલન રથ પરના ધ્વજને નદંબિકા તરીકે ઓળખવામાં આવે છે. દેવી સુભદ્રાની સાથે રથમાં ચંડી, ચામુંડા, ઉગ્રતારા, વનદુર્ગા, શુલિદુર્ગ, વારાહી, શ્યામા કાલી, મંગળા અને બિમલાની મૂર્તિઓ પણ હોય છે. દેવદલન રથના મુખને ભક્તિ સુમેધા તરીકે ઓળખવામાં છે અને શસ્ત્ર પદ્મ અને કલ્હાર છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.