હૈદરાબાદ: મોબાઈલ યુગમાં લેખન પદ્ધત્તિ સાવ ભુલાઈ ગઈ છે. 17મી અને 18મી સદીમાં, પત્રોનો ઉપયોગ માત્ર માહિતી, ચોક્કસ સમાચાર, માહિતી અથવા શુભેચ્છાઓ મોકલવા માટે થતો હતો. પહેલાના સમયમાં પરિવારો અને પ્રેમીઓ સંપર્કમાં રહેવા માટે પત્રો જ એકમાત્ર રસ્તો હતો. માટે લોકોમાં લેખનકળા જાગૃત રહે તે માટે દર વર્ષે 1 લી સપ્ટેમ્બર ના રોજ જે વિશ્વ પત્ર લેખન દિવસ ઉજવાય છે.
વિશ્વ પત્ર લેખન દિવસનો ઇતિહાસ: વિશ્વ પત્ર લેખન દિવસની સ્થાપના ઓસ્ટ્રેલિયન લેખક, કલાકાર અને ફોટોગ્રાફર રિચાર્ડ સિમ્પકિન દ્વારા 2014 માં કરવામાં આવી હતી. 1990 ના દાયકાના અંતમાં, રિચાર્ડે એવા લોકોને પત્રો લખ્યા જેમને તેઓ ઓસ્ટ્રેલિયન દંતકથા માનતા હતા અને પ્રતિભાવો મેળવ્યા હતા. 2005માં તેમણે પત્ર લખવાના તેમના અનુભવ વિશે 'ઓસ્ટ્રેલિયન લિજેન્ડ્સ' પુસ્તકમાં લખ્યું હતું. હસ્તલિખિત પત્રોના સન્માન માટે, તેમણે પત્ર લેખન માટે સમર્પિત એક દિવસ બનાવ્યો. વિશ્વ પત્ર લેખન દિવસની સ્થાપના રિચાર્ડ સિમ્પકિન દ્વારા આનંદ અને શ્રદ્ધાંજલિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેના મેઈલબોક્સમાં હસ્તલિખિત પત્ર આવ્યો ત્યારે તે ઉત્સાહિત થયો.
પત્ર લેખન દિવસનું મહત્વ: ટેક્સ્ટ અને ઈ-મેલના ડિજિટલ યુગમાં, પત્રલેખન દિવસને યાદ કરવા અને સંદેશાવ્યવહારના જૂના સ્વરૂપની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે. તે એવા લોકો સાથે પુનઃજોડાણ કરવાની તક આપે છે જેમની સાથે તમે સમય જતાં સંપર્ક ગુમાવ્યો છે. તે તમને ટેક્સ્ટ અને ઈ-મેઈલ મોકલીને ઝડપથી પ્રતિસાદ આપવાના વિરોધમાં તમે જે લખી રહ્યા છો તેના વિશે યોગ્ય રીતે વિચારવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચોઃ