વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં આજે અનેક સ્થાનિકો ભેગા મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કંઈક અનોખી રીતે કરવાનું વિચાર્યું હતું અને આ માટે બિલ્ડીંગના રહીશ ચન્દ્રેશ ભાનુશાલીએ તમામ લોકોને દક્ષિણ ગુજરાતનાની વાનગી જે માટીના માટલા ઉંધા મૂકી બનાવમાં આવે છે, જેની મોજ કરાવી હતી. સામાન્ય રીતે અમદાવાદ-વડોદરા જેવા શહેરોમાં ઊંધિયું કે જલેબીની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, પરંતુ વલસાડમાં રહીશોએ ઊંધિયું જલેબીના સ્થાને ઉંબળિયાની વાનગીને સ્થાન આપ્યું હતું.
જો કે, વરાળને લીધે મટકામાં બનતી વાનગીનો ટેસ્ટ જ આનોખો છે. આજે નીલકંઠ રેસિડેન્સીના તમામ લોકો એકત્ર થઈ ઉંબળિયાની વાનગી સાથે છાશની મોજ માણી હતી. આ સાથે પતંગ અને ચિક્કી તો હતી જ. આમ વલસાડના રહીશો દ્વારા ઉત્તરાયણ પર્વને વલસાડી વાનગી સાથે ઉજવાણી કરી હતી.