ETV Bharat / state

દર્દીઓ માટે સંજીવની કહેવાતી 108 એમ્બ્યુલન્સ ખોટકાઈ તો...

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સંજીવની બનેલી 108 સેવા હાલ ખુદ લક્વાગ્રસ્ત બની રહી હોય એવું જણાય આવે છે. ગઈકાલે કપરાડા તાલુકાના મંડવા ગામે 108 એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન થતા 48 કલાક બાદ તે ફરીથી તંદુરસ્ત બની હતી.સતત 48 કલાક સુધી ગેરેજનો મેકેનિક ના આવ્યો ત્યાં સુધી તે ત્યાં જ પડી રહી હતી.

author img

By

Published : Oct 10, 2019, 8:09 PM IST

108 એમ્બ્યુલન્સ ખોટકાઈ

સરકાર દ્વારા આપાતકાલીન સમયમાં કોઈ પણ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતા કરીને જીવતદાન આપનાર 108 એમ્બ્યુલન્સની સેવાથી અનેક લોકોને ફાયદો થતો હોય છે. એટલું જ નહીં સૌથી વધુ ફાયદો અંતરિયાળ અને ડુંગરાળ એવા કપરાડાના 70 થી વધુ ગામોને થયો છે.જ્યાં રાત્રી દરમિયાન પહોંચવું અનેક ગણુ દુર્ગમ હોય એવા સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડનારી 108 સેવાનું વાહન જો ખોટકાય તો તેને સમારકામ માટે એટલી લાંબી વિધિ છે કે, તેનો કારીગર બગડેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચતા જ 48 કલાક જેટલો સમય નીકળી જાય છે.

108 એમ્બ્યુલન્સ ખોટકાઈ

ગઈ કાલે જ નાનાપોઢાથી એક એમ્બ્યુલન્સ કપરાડા એક દર્દીને મૂકીને આવતી હતી તે દરમિયાન મંડવા ગામે ટેક્નિકલ ખામીને કારણે ખોટકાઈ પડી હતી. જોકે તે સમયે તેમાં દર્દી નહોતા જેના કારણે હાલાકી ન પડી.પરંતુ 108 બગડ્યા બાદ તેને સમારકામ માટે જે વિધિ છે એટલી લાંબી છે કે તેનો કારીગર આવતા જ 2 દિવસ નીકળી જતા હોય છે અને મંડવામાં પણ થયું એવું જ કારીગર 48 કલાક બાદ આવ્યા પછી એમ્બ્યુલન્સ રાબેતા મુજબ શરૂ થઈ હતી.

એમ્બ્યુલન્સ જ્યારે પણ માર્ગમાં ખોટકાય એટલે તેના પાઇલોટે પ્રથમ વલસાડ જે બાદ અમદાવાદ જાણકારી આપવાની હોય છે તે બાદ ગાંધીનગરથી સુરત ઝોનને જાણકારી મળે છે અને તે બાદ વલસાડમાં સૂચન મળ્યા બાદ કારીગરે બગડેલી એમ્બ્યુલન્સ સુધી કારીગર મોકલવામાં આવે છે. આમ ત્વરિત રિસ્પોન્સ આપી નવજીવન આપનારી 108 એમ્બ્યુલન્સ જો બગડે તો તેને ત્વરિત રીપેર કરવામાં મોટી મુશ્કેલી સર્જાય છે.

સરકાર દ્વારા આપાતકાલીન સમયમાં કોઈ પણ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતા કરીને જીવતદાન આપનાર 108 એમ્બ્યુલન્સની સેવાથી અનેક લોકોને ફાયદો થતો હોય છે. એટલું જ નહીં સૌથી વધુ ફાયદો અંતરિયાળ અને ડુંગરાળ એવા કપરાડાના 70 થી વધુ ગામોને થયો છે.જ્યાં રાત્રી દરમિયાન પહોંચવું અનેક ગણુ દુર્ગમ હોય એવા સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડનારી 108 સેવાનું વાહન જો ખોટકાય તો તેને સમારકામ માટે એટલી લાંબી વિધિ છે કે, તેનો કારીગર બગડેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચતા જ 48 કલાક જેટલો સમય નીકળી જાય છે.

108 એમ્બ્યુલન્સ ખોટકાઈ

ગઈ કાલે જ નાનાપોઢાથી એક એમ્બ્યુલન્સ કપરાડા એક દર્દીને મૂકીને આવતી હતી તે દરમિયાન મંડવા ગામે ટેક્નિકલ ખામીને કારણે ખોટકાઈ પડી હતી. જોકે તે સમયે તેમાં દર્દી નહોતા જેના કારણે હાલાકી ન પડી.પરંતુ 108 બગડ્યા બાદ તેને સમારકામ માટે જે વિધિ છે એટલી લાંબી છે કે તેનો કારીગર આવતા જ 2 દિવસ નીકળી જતા હોય છે અને મંડવામાં પણ થયું એવું જ કારીગર 48 કલાક બાદ આવ્યા પછી એમ્બ્યુલન્સ રાબેતા મુજબ શરૂ થઈ હતી.

એમ્બ્યુલન્સ જ્યારે પણ માર્ગમાં ખોટકાય એટલે તેના પાઇલોટે પ્રથમ વલસાડ જે બાદ અમદાવાદ જાણકારી આપવાની હોય છે તે બાદ ગાંધીનગરથી સુરત ઝોનને જાણકારી મળે છે અને તે બાદ વલસાડમાં સૂચન મળ્યા બાદ કારીગરે બગડેલી એમ્બ્યુલન્સ સુધી કારીગર મોકલવામાં આવે છે. આમ ત્વરિત રિસ્પોન્સ આપી નવજીવન આપનારી 108 એમ્બ્યુલન્સ જો બગડે તો તેને ત્વરિત રીપેર કરવામાં મોટી મુશ્કેલી સર્જાય છે.

Intro:કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સંજીવની બનેલી એવી 108 સેવા હાલ ખુદ લક્વાગ્રસ્ત બની રહી હોય એવું જણાય છે ગઈ કાલે કપરાડા તાલુકાના મંડવા ગામે 108 એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન થતા 48 કલાક બાદ તે ફરી થી દુરસ્ત બની હતી સતત 48 કલાક સુધી ગેરેજ નો મેકેનિક ના આવ્યો ત્યાં સુધી તે ત્યાં જ પડી રહી હતી Body:સરકાર દ્વારા આપાતકાલીન સમય માં કોઈ પણ દર્દી ને હોસ્પિટલ સુધી પોહચતા કરી ને જીવતદાન આપનાર 108 એમ્બ્યુલન્સ સેવા થી અનેક લોકોને ફાયદો હતો એટલું જ નહીં સૌથી વધુ ફાયદો અંતરિયાળ અને ડુંગરાળ એવા કપરાડા ના 70 થી વધુ ગામોને થયો જ્યાં રાત્રી દરમ્યાન પોહચવું અનેક ઘણું દુર્ગમ હોય એવા સમયે દર્દીઓ ને હોસ્પિટલ પોહચડનારી 108 સેવાનું વાહન જો ખોટકાય તો તેને સમારકામ માટે એટલી લાંબી વિધિ છે કે તેનો કારીગર બગડેલી એમ્બ્યુલન્સ સુધી પોહચતા જ 48 કલાક જેટલો સમય નીકળી જાય છે ગઈ કાલે જ નાનાપોઢા થી એક એમ્બ્યુલન્સ કપરાડા એક દર્દી ને મૂકી ને આવતી હતી તે દરમ્યાન મંડવા ગામે ટેક્નિકલ ખામી ને કારણે ખોટકાઈ પડી હતી જોકે તે સમયે તેમાં દર્દી નોહતા જેના કારણે હાલાકી ન પડી પરંતુ 108 બગડ્યા બાદ તેને સમારકામ માટે જે વિધિ છે એટલી અટપટી અને લાંબી છે કે તેનો કારીગર આવતા જ 2 દિવસ નીકળી જતા હોય છે અને મંડવા માં પણ થયું એવું જ કારીગર 48 કલાક બાદ આવ્યા પછી એમ્બ્યુલન્સ રાબેતા મુજબ શરૂ થઈ Conclusion:એમ્બ્યુલન્સ જ્યારે પણ માર્ગ માં ખોટકાય એટલે તેના પાઇલોટ એ પ્રથમ વલસાડ જે બાદ અમદાવાદ જાણકારી આપવાની હોય છે તે બાદ ગાંધીનગર થી સુરત ઝોન ને જાણકારી મળે છે અને તે બાદ વલસાડ સૂચન મળ્યા બાદ કારીગર બગડેલી એમ્બ્યુલન્સ સુધી કારીગર મોકલવામાં આવે છે આમ ત્વરિત રિસ્પોન્સ આપી નવજીવન આપનારી 108 એમ્બ્યુલન્સ જો બગડે તો તેને ત્વરિત રીપેર કરવામાં મોટી મુશ્કેલી સર્જાય છે
આ સમગ્ર બાબતે જિલ્લા કક્ષાએ એ થી જ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.