ETV Bharat / state

વલસાડ ઈવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ અને ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત

author img

By

Published : Nov 24, 2020, 8:45 PM IST

ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ગુજરાત સરકારે નવી કોરોના ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં લગ્નપ્રસંગ વરઘોડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ લગ્નના પ્રસંગોમાં ડીજે વગાડવું અને 200 લોકોના સ્થાને લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકો ભાગ લઇ શકશે અને તે અંગે પણ પરવાનગી લેવાની રહેશે તેવું જાહેરનામું બહાર પાડ્યું છે, જેને લઇ ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.

વલસાડ ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ, ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત
વલસાડ ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ, ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત

  • ગુજરાતમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી નવી ગાઇડલાઇન જાહેર
  • વલસાડ ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ, ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત
  • નવી ગાઈડલાઇન વધારી શકે છે વ્યવસાયકારોની મુશ્કેલી

વલસાડઃ ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ગુજરાત સરકારે ગઇકાલે (સોમવાર) એક નવી કોરોના ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં લગ્ન પ્રસંગ વરઘોડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ લગ્નના પ્રસંગોમાં ડીજે વગાડવું અને 200 લોકોના સ્થાને લગ્ન પ્રસંગમાં માત્ર લોકો ભાગ લઇ શકશે અને તે અંગે પણ પરવાનગી લેવાની રહેશે જેવું જાહેરનામું બહાર પાડતા કેટરિંગ વ્યવસાય તેમજ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત પડતા ઉપર પાટુ મારવા જેવી બની ગઈ છે. જેને લઈને આજે (મંગળવાર) વલસાડ જિલ્લા કલેકટરને વલસાડ જિલ્લાના વિવિધ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

વલસાડ ઈવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ અને ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત

લોકડાઉન ખુલ્યા બાદ હજુ વ્યવસાય શરૂ નથી થયો ત્યાં નવી ગાઈડ લાઇને મુશ્કેલી વધારી

લોકડાઉન બાદ બેરોજગારીથી અનેક લોકોની કમ્મર તૂટી ગઇ છે. હાલ અનલોકમાં અનેક બજારો અને વેપાર ધંધા શરૂ થઇ ગયા છે, પરંતુ મોટા મોટા પ્રસંગોમાં વિવિધ પ્રકારની સેવા આપતા ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ અને ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોના વેપાર ધંધા હજુ સુધી ચાલુ થઇ શક્યા નથી. જેના કારણે તેમની હાલત ખૂબ કફોડી બની છે.

નવી ગાઈડ લાઇન મુજબ વરઘોડા પર પ્રતિબંધ 200 ના સ્થાને લગ્નમાં 100 લોકો સામેલ કરી શકાશે

સોમવારે સાંજે જ ગુજરાત સરકારની નવી ગાઈડ લાઇન મુજબ લગ્નમાં વરઘોડો પર પ્રતિબંધ અને 200 ને સ્થાને 100 લોકોની સંખ્યા કરી દેતા પડતા પર પાટુ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. જે માટે તેમણે મંગળવારે કલેક્ટરને રજૂઆત કરી હતી.

લગ્ન સિઝનમાં વ્યવસાય કરનારા કેટરિંગ અને ડીજેના સંચાલકોની સ્થિતિ દયનીય

વલસાડ કલેક્ટરને રજૂઆત કરતાં આ તમામ લોકોએ જણાવ્યું કે, સકરારની ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગોમાં 200 લોકોની હાજરીની સંખ્યા ઘટાડીને 100 કરી નાખી છે. તેમજ લગ્ન પ્રસંગે ડીસ્કો કે વરઘોડાની પણ પરવાનગી અપાતી નથી. જેના કારણે તેમના સંપૂર્ણ વ્યવસાયને ખૂબ માઠી અસર પહોંચી છે. તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.

ડીજે અને કેટરિંગ સાથે સંકળાયેલ લોકોએ કલેકટરને કરી રજૂઆત

વ્યવસાયને થોડી રાહત મળે એ મુજબની છૂટછાટ આપવા તેમણે કલેક્ટરને રજૂઆત કરી છે. લોકડાઉન ભલે દૂર થયું, પરંતુ તેમની પરિસ્થિતિ લોકડાઉન જેવી જ છે. તેમનું જીવન આગળ ચાલે એ માટે તેમણે કલેક્ટર આર. આર. રાવલને રજૂઆત કરવામાં આવી છે. આમ ગુજરાત સરકારે નવી બહાર પાડેલી ગાઈડ લાઇન લગ્નમાં વિવિધ કામગીરીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની સ્થિતિ દયનીય બની છે.

  • ગુજરાતમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી નવી ગાઇડલાઇન જાહેર
  • વલસાડ ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ, ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત
  • નવી ગાઈડલાઇન વધારી શકે છે વ્યવસાયકારોની મુશ્કેલી

વલસાડઃ ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ગુજરાત સરકારે ગઇકાલે (સોમવાર) એક નવી કોરોના ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં લગ્ન પ્રસંગ વરઘોડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ લગ્નના પ્રસંગોમાં ડીજે વગાડવું અને 200 લોકોના સ્થાને લગ્ન પ્રસંગમાં માત્ર લોકો ભાગ લઇ શકશે અને તે અંગે પણ પરવાનગી લેવાની રહેશે જેવું જાહેરનામું બહાર પાડતા કેટરિંગ વ્યવસાય તેમજ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત પડતા ઉપર પાટુ મારવા જેવી બની ગઈ છે. જેને લઈને આજે (મંગળવાર) વલસાડ જિલ્લા કલેકટરને વલસાડ જિલ્લાના વિવિધ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

વલસાડ ઈવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ અને ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત

લોકડાઉન ખુલ્યા બાદ હજુ વ્યવસાય શરૂ નથી થયો ત્યાં નવી ગાઈડ લાઇને મુશ્કેલી વધારી

લોકડાઉન બાદ બેરોજગારીથી અનેક લોકોની કમ્મર તૂટી ગઇ છે. હાલ અનલોકમાં અનેક બજારો અને વેપાર ધંધા શરૂ થઇ ગયા છે, પરંતુ મોટા મોટા પ્રસંગોમાં વિવિધ પ્રકારની સેવા આપતા ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ અને ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોના વેપાર ધંધા હજુ સુધી ચાલુ થઇ શક્યા નથી. જેના કારણે તેમની હાલત ખૂબ કફોડી બની છે.

નવી ગાઈડ લાઇન મુજબ વરઘોડા પર પ્રતિબંધ 200 ના સ્થાને લગ્નમાં 100 લોકો સામેલ કરી શકાશે

સોમવારે સાંજે જ ગુજરાત સરકારની નવી ગાઈડ લાઇન મુજબ લગ્નમાં વરઘોડો પર પ્રતિબંધ અને 200 ને સ્થાને 100 લોકોની સંખ્યા કરી દેતા પડતા પર પાટુ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. જે માટે તેમણે મંગળવારે કલેક્ટરને રજૂઆત કરી હતી.

લગ્ન સિઝનમાં વ્યવસાય કરનારા કેટરિંગ અને ડીજેના સંચાલકોની સ્થિતિ દયનીય

વલસાડ કલેક્ટરને રજૂઆત કરતાં આ તમામ લોકોએ જણાવ્યું કે, સકરારની ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગોમાં 200 લોકોની હાજરીની સંખ્યા ઘટાડીને 100 કરી નાખી છે. તેમજ લગ્ન પ્રસંગે ડીસ્કો કે વરઘોડાની પણ પરવાનગી અપાતી નથી. જેના કારણે તેમના સંપૂર્ણ વ્યવસાયને ખૂબ માઠી અસર પહોંચી છે. તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.

ડીજે અને કેટરિંગ સાથે સંકળાયેલ લોકોએ કલેકટરને કરી રજૂઆત

વ્યવસાયને થોડી રાહત મળે એ મુજબની છૂટછાટ આપવા તેમણે કલેક્ટરને રજૂઆત કરી છે. લોકડાઉન ભલે દૂર થયું, પરંતુ તેમની પરિસ્થિતિ લોકડાઉન જેવી જ છે. તેમનું જીવન આગળ ચાલે એ માટે તેમણે કલેક્ટર આર. આર. રાવલને રજૂઆત કરવામાં આવી છે. આમ ગુજરાત સરકારે નવી બહાર પાડેલી ગાઈડ લાઇન લગ્નમાં વિવિધ કામગીરીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની સ્થિતિ દયનીય બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.