ETV Bharat / state

શા માટે વલસાડના હિંગળાજ માતાના મંદિરે નવરાત્રીનું છે અનેરું મહત્વ, જાણો વિગતે...

author img

By

Published : Oct 6, 2019, 11:25 PM IST

વલસાડઃ પાકિસ્તાનના સિંધ પ્રાંત બલૂચિસ્તાનમાં આવેલ માતા હિંગળાજનું મંદિર 51 શક્તિપીઠમાંનું એક ગણાય છે. આ શક્તિપીઠના નામ ઉપરથી જ વલસાડના ભેદલી જગાલાલા ગામે પણ હિંગળાજ માતાનું મંદીર સદીઓ પહેલા બન્યું છે. આજે આ ગામનું નામ પણ હિંગળાજથી જ ઓળખાય છે.

Navratri in valsad

વલસાડથી અંદાજે 17 કિ.મી. દૂર દરિયા કિનારે ભદેલી જગાલાલા એટલે કે, સ્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ગામમાં આવેલ હિંગળાજ માતાના મંદિરની સ્થાપના 5 પેઢી પહેલા માછીમારો દ્વારા કરવામાં આવી હતી. ભારત જ્યારે અખંડ હતું તે સમયે કરાંચી સુધી દરિયો ખેડવામાં આવતો હતો, ત્યારે માછલીની જાળમાં ત્રણ વખત એક જ પથ્થરની મૂર્તિ ફસાઈને આવી હતી. જેથી તે સમયના ધાર્મિક વૃતિવાળા લોકોએ આ મૂર્તિને પોતાની સાથે લઈ આવી જુના હિંગળાજ ફળીયામાં અને ત્યારબાદ વલસાડના હાલના મંદિરના સ્થાને સ્થપન કરી ભવ્ય મંદિરનું નિર્માણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, અહીં સ્વર્ગીય વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ માતાજીના દર્શન કર્યા છે અને માતાજી તેમના કુળદેવી પણ છે.

વલસાડના હિંગળાજ માતાના મંદિરે નવરાત્રીનું છે અનેરું મહત્વ

મહત્વનું છે કે, હિંગળાજ ખાતે નવરાત્રીના નવ દિવસ સુધી મંદિરના પટાંગણમાં માતાજીના ગરબા દ્વારા તેમની આરાધના કરવામાં આવે છે. અહીં બે તાળી અને ત્રણ તાળીના ગરબા ઓર્કેસ્ટ્રા સાથે ગવાય છે.

હિંગળાજ માતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઇ ટંડેલે જણાવ્યું હતું કે, તેમના વડવાઓ દ્વારા વર્ષો પહેલાં માતાજીની મૂર્તિ દરિયામાંથી લાવી સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પણ માતાજી પર શ્રદ્ધા ટંડેલ સમાજના લોકોની અપાર છે. તેથી જ લોકોની આસ્થાને કારણે અહીં નવરાત્રીના આઠમના દિવસે ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

વલસાડથી અંદાજે 17 કિ.મી. દૂર દરિયા કિનારે ભદેલી જગાલાલા એટલે કે, સ્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ગામમાં આવેલ હિંગળાજ માતાના મંદિરની સ્થાપના 5 પેઢી પહેલા માછીમારો દ્વારા કરવામાં આવી હતી. ભારત જ્યારે અખંડ હતું તે સમયે કરાંચી સુધી દરિયો ખેડવામાં આવતો હતો, ત્યારે માછલીની જાળમાં ત્રણ વખત એક જ પથ્થરની મૂર્તિ ફસાઈને આવી હતી. જેથી તે સમયના ધાર્મિક વૃતિવાળા લોકોએ આ મૂર્તિને પોતાની સાથે લઈ આવી જુના હિંગળાજ ફળીયામાં અને ત્યારબાદ વલસાડના હાલના મંદિરના સ્થાને સ્થપન કરી ભવ્ય મંદિરનું નિર્માણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, અહીં સ્વર્ગીય વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ માતાજીના દર્શન કર્યા છે અને માતાજી તેમના કુળદેવી પણ છે.

વલસાડના હિંગળાજ માતાના મંદિરે નવરાત્રીનું છે અનેરું મહત્વ

મહત્વનું છે કે, હિંગળાજ ખાતે નવરાત્રીના નવ દિવસ સુધી મંદિરના પટાંગણમાં માતાજીના ગરબા દ્વારા તેમની આરાધના કરવામાં આવે છે. અહીં બે તાળી અને ત્રણ તાળીના ગરબા ઓર્કેસ્ટ્રા સાથે ગવાય છે.

હિંગળાજ માતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઇ ટંડેલે જણાવ્યું હતું કે, તેમના વડવાઓ દ્વારા વર્ષો પહેલાં માતાજીની મૂર્તિ દરિયામાંથી લાવી સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પણ માતાજી પર શ્રદ્ધા ટંડેલ સમાજના લોકોની અપાર છે. તેથી જ લોકોની આસ્થાને કારણે અહીં નવરાત્રીના આઠમના દિવસે ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

Intro:પાકિસ્તાન ના સિંધપ્રાંત બલૂચિસ્તાન માં આવેલ માતા હિંગળાજ જે 51 શક્તિપીઠ માં નું એક ગણાય છે એ શક્તિપીઠના નામ ઉપર થી જ વલસાડ માં ભેદલી જગાલાલા ગામે પણ હિંગળાજ માતાનું મંદીર સદીઓ પેહલા બન્યું છે અને આજે આ ગામ નું નામ પણ હિંગળાજ થી જ ઓળખાય છે કહેવાય છે કે વર્ષો પહેલા માછીમારી કરવા છેક કરાચી સુધી જતા માછીમારો ને દરિયા માંથી માતાજીની પ્રતિમા માછલી પકડતા ત્રણ વાર જાળ માં આવી હતી અને તે બાદ તેઓ આ પ્રતિમાને અહીં લાવી વલસાડ ભદેલી ગામે સ્થાપિત કરવામાં આવી હતી છેલ્લા 24 વર્ષ ઉપરાંત થી અહીં માત્ર ગરબા બે તાળી ત્રણ તાળી ના ગવાય છેBody:વલસાડ થી અંદાજિત 17 કિમિ દૂર દરિયા કિનારે ભદેલી જગાલાલા એટલે કે સ્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ના ગામ માં જ આવેલ હિંગળાજ માતાના મંદિર ની સ્થાપના 5 પેઢી અગાઉ કેટલાક દરિયા માં માછીમારી કરી જીવન નિર્વાહ કરતા લોકો દ્વારા કરવામાં આવી હતી ભારત જ્યારે અખંડ હતું તે સમયે કરાંચી સુધી દરિયો ખેડવામાં આવતો હતી એવા સમયે માછલી પકડવાની જાળ માં એક નહિ પણ ત્રણ ત્રણ વખત એકજ પથ્થર ની મુર્તિ જાળ માં ફસાઈ ને આવી હતી જેથી તે સમયના ધાર્મિક વૃતિવાળા લોકો એ તે પોતાની સાથે લઈ આવી જુના હિંગળાજ ફળીયા માં અને તે બાદ વલસાડના હાલના મંદિરના સ્થાને સ્થપના કરી હતી ભવ્ય મંદિર નું નિર્માણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો કહેવાય છે કે અહીં સ્વર્ગીય વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ પણ માતાજીના દર્શન કર્યા છે અને માતાજી તેમના કુળદેવી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું મહત્વનું છે કે હિંગળાજ ખાતે નવરાત્રીના નવ દિવસ સુધી મંદિરના પટાંગણમાં માતાજીનાગરબા દ્વારા તેમની આરાધના કરવામાં આવે છે અને અહીં બે તાળી અને ત્રણ તાળીના ગરબા ઓર્કેસ્ટ્રા સાથે ગવાય છે
Conclusion:હિંગળાજ માતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઇ ટંડેલે જણાવ્યું કે તેમના વડવાઓ દ્વારા વર્ષો પહેલાં માતાજીની મૂર્તિ દરિયામાંથી લાવવામાં આવી હતી અને તેમનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને આજે પણ માતાજી પર શ્રદ્ધા ટંડેલ સમાજના લોકોને અપાર છે લોકોની આસ્થાને કારણે અહીં નવરાત્રીના આઠમના દિવસે ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે

બાઈટ 1 મોહન ભાઈ ટંડેલ હિંગળાજ ચેરીટેબલ ટ્રસ્ટ

બાઈટ 2 ગોવિંદ ભાઈ સ્થાનિક અગ્રણી

બાઈટ 3 દિનેશ ભાઈ (ગાયક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.