ETV Bharat / state

ધરમપુરના ખોરવેલમાં 15 ફૂટ ઊંચુ અને 9 લાખ રૂદ્રાક્ષથી મહાશિવલિંગ બનાવાયું

author img

By

Published : Mar 6, 2021, 2:02 PM IST

મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર શિવ ભક્તો વિવિધ પ્રકારની તૈયારીમાં લાગ્યા છે. હવે વલસાડમાં ધરમપુરના જાણીતા કથાકારે આ વર્ષે 15 ફૂટ ઊંચું રૂદ્રાક્ષથી મહા શિવલિંગ તૈયાર કર્યું છે. છેલ્લા 13 વર્ષથી તેઓ મહાશિવરાત્રીના દિવસે અહીં આ જ પ્રકારે મહાશિવલિંગ બનાવી રહ્યા છે. આ શિવલિંગ 15 ફૂટ ઊંચું છે, જેને 9 લાખ રૂદ્રાક્ષની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, દરેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે આ પ્રકારનું મહાશિવલિંગ તૈયાર કરાયું છે.

ધરમપુરના ખોરવેલમાં 15 ફૂટ ઊંચુ અને 9 લાખ રૂદ્રાક્ષથી મહાશિવલિંગ બનાવાયું
ધરમપુરના ખોરવેલમાં 15 ફૂટ ઊંચુ અને 9 લાખ રૂદ્રાક્ષથી મહાશિવલિંગ બનાવાયું
  • મહાશિવરાત્રિથી સતત નવ દિવસ મહાશિવલિંગના દર્શન થઈ શકશે
  • દરેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે શિવલિંગ બનાવાયું
  • બટુક વ્યાસ છેલ્લા 13 વર્ષથી ધરમપુરમાં મહાશિવલિંગ બનાવે છે
  • આ મહાશિવલિંગને લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ મળ્યું છે સ્થાન

વલસાડઃ સમગ્ર વિશ્વ જેને સમગ્ર વિશ્વ જેને શિવના અક્ષ તરીકે ઓળખે છે એ રૂદ્રનું અક્ષ એટલે કે રૂદ્રાક્ષ એ સ્વયં પોતે શિવનો અંશ છે તો તેની પૂજા કરવામાં આવે તો એક રૂદ્રાક્ષની કરેલી પૂજા એક શિવલિંગનું ફળ આપતી હોય છે. એવું ધાર્મિક ગ્રંથો કહે છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાને લઇ ધરમપુરના જાણીતા કથાકાર અને રૂદ્રાક્ષમાં સંશોધન કરતા અને સતત 13 વર્ષથી શિવરાત્રિ દરમિયાન રૂદ્રાક્ષના શિવલિંગ બનાવી તેનો અભિષેક કરતા બટુક વ્યાસ દ્વારા ફરીથી 14મા વર્ષે ધરમપુરના ખારવેલ ગામમાં સવા 15 ફૂટ ઊંચું અને નવ લાખ રૂદ્રાક્ષની મદદથી મહા શિવલિંગ તૈયાર કરાયું છે. સતત નવ દિવસ સુધી આ શિવલિંગનો અભિષેક જાહેર જનતા માટે આજથી ખૂલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે ૧૧ કુંડી મહારુદ્ર યજ્ઞ અને શિવ મહાપુરાણ કથા આમ ત્રણેનું સુગંમ સમન્વય કાર્યક્રમ આજથી શરૂ થયો છે.

રેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે શિવલિંગ બનાવાયું
રેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે શિવલિંગ બનાવાયું
આ પણ વાંચોઃ
ગિરનાર સાધુ મંડળે શિવરાત્રી મેળો રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો

વલસાડ જિલ્લાના ધરમપુર વલસાડ રોડ ઉપર આવેલા ખારવેલ ગામમાં આજથી નવ દિવસ માટે ત્રણ સુગમ કાર્યક્રમનો સમય શરૂ થયો છે. 4 માર્ચ ગુરૂવારથી લઈ 12 માર્ચ શુક્રવાર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં શિવ મહાપૂરાણ કથા રૂદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન અને અભિષેક તેમ જ 11 કુંડી મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો પ્રારંભ આજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમ જ અનેક અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો

શિવરાત્રિ દરમિયાન અભિષેકનું શું છે મહત્ત્વ?

શિવરાત્રિના પાવન પર્વમાં શિવલિંગ ઉપર જળાભિષેક એ દૂધ અભિષેક સામાન્ય રીતે લોકો કરતા હોય છે અને તેનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે. બિલિપત્ર કે જળાભિષેક શિવલિંગને કરવાથી રોગ દોષ અને દરિદ્રતાનું નિવારણ થાય છે ત્યારે 9 લાખ રૂદ્રાક્ષમાંથી બનેલા મહા શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી 9 લાખ શિવલિંગ ઉપર અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થતું હોય છે, જેને લઈને અનેક લોકો આ મહાશિવલિંગ ઉપર અભિષેક કરવા માટે પહોંચી રહ્યા છે.

રૂદ્રાક્ષ એટલે કે રુદ્રનો અક્સ એટલે કે પોતે પણ એક શિવલિંગ કહી શકાય

સત યુગના સમયમાં જ્યારે ઋષિઓ વહેલી સવારે ન્યાસ રાખતા એટલે કે જ્યાં સુધી ભગવાનના શિવલિંંગ ઉપર અભિષેક ન કરે ત્યાં સુધી પોતે ભોજન ગ્રહણ ન કરતા ત્યારે અનેક ઋષિઓને અનેક સ્થળોએ જવાનું થતું હતું. આવા સમયમાં ક્યારેક એવો પણ સમય આવતો કે તે સમયે તેઓને સમયસર શિવલિંગના અભિષેક કરી શકતા ન હતા તો તે વખતે જો તેઓને શિવલિંગ પ્રાપ્ત ન થાય તો એક રુદ્રાક્ષના મણકા ઉપર અભિષેક કરી બિલીપત્ર ચઢાવી તેઓ પોતાની પૂજન વિધી પૂર્ણ કરતા હતા. આમ, ત્યારના સમયથી જ રૂદ્રાક્ષને એક શિવલિંગ તરીકે પૂજન કરવામાં આવે છે અને જેને અનુલક્ષીને મહાશિવનું નિર્માણ હાલ ધરમપુરમાં કરવામાં આવ્યું છે.

આ મહાશિવલિંગને લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ મળ્યું છે સ્થાન
9 લાખ રૂદ્રાક્ષ પર અભિષેક કરવો એટલે 9 લાખ શિવલિંગ ઉપર અભિષેક કર્યા બરાબર છે

9 લાખ રૂદ્રાક્ષમાંથી નિર્મિત કરવામાં આવેલું મહાશિવલિંગ જે અંદાજિત 15 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના ઉપર શિવરાત્રીના મહાપર્વના સમયે જણાવી છે કે દૂધ અભિષેક કરવો એટલે 9 લાખ શિવલિંગ ઉપર એક સાથે અભિષેક કર્યા બરાબર નવું પુણ્ય અભિષેક કરનારને પ્રાપ્ત થાય છે. આમ, શાસ્ત્રો અનુસાર, શિવની પૂજા અને અભિષેકનું શિવરાત્રિ દરમિયાન એક અનોખું મહત્ત્વ છે અને આ કાર્યક્રમ આથી સતત 9 દિવસ સુધી એટલે કે 12 માર્ચ સુધી ચાલશે.

આ પણ વાંચોઃ આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક

જાણો... કોણ છે બટુકભાઈ વ્યાસ?

આધુનિક અનોખી અને દાર્શનિક રૂદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક તેમ જ 4 વાર સતત લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર એવા સેવા કથાકાર બટુકભાઈ અનેક સ્થળોએ દર વર્ષે શિવરાત્રિ દરમિયાન મહાશિવ નવનિર્માણ કરે છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં સતત 14 વર્ષ સુધી રૂદ્રાક્ષના મહાશિવ નિર્માણ કરવામાં આવ્યું છે અને અનેક લોકોએ રાત્રી દરમિયાન તેના અભિષેકનો લાભ લીધો છે.

વલસાડ જિલ્લાના અગ્રણીઓ શિવપુરાણમાં રહ્યા ઉપસ્થિત
આમ, ધરમપુરના આંગણે મહાશિવરાત્રિના પાવન પર્વ દરમિયાન રૂદ્રાક્ષના મહાશિવના દર્શન અને અભિષેક શિવ મહાપુરાણ કથા તેમ જ 11 કુંડી મહારૂદ્ર યજ્ઞનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ, ભાજપ વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ, ખારવેલ ગામના સરપંચ રેખા પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજરી આપી હતી.

  • મહાશિવરાત્રિથી સતત નવ દિવસ મહાશિવલિંગના દર્શન થઈ શકશે
  • દરેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે શિવલિંગ બનાવાયું
  • બટુક વ્યાસ છેલ્લા 13 વર્ષથી ધરમપુરમાં મહાશિવલિંગ બનાવે છે
  • આ મહાશિવલિંગને લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ મળ્યું છે સ્થાન

વલસાડઃ સમગ્ર વિશ્વ જેને સમગ્ર વિશ્વ જેને શિવના અક્ષ તરીકે ઓળખે છે એ રૂદ્રનું અક્ષ એટલે કે રૂદ્રાક્ષ એ સ્વયં પોતે શિવનો અંશ છે તો તેની પૂજા કરવામાં આવે તો એક રૂદ્રાક્ષની કરેલી પૂજા એક શિવલિંગનું ફળ આપતી હોય છે. એવું ધાર્મિક ગ્રંથો કહે છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાને લઇ ધરમપુરના જાણીતા કથાકાર અને રૂદ્રાક્ષમાં સંશોધન કરતા અને સતત 13 વર્ષથી શિવરાત્રિ દરમિયાન રૂદ્રાક્ષના શિવલિંગ બનાવી તેનો અભિષેક કરતા બટુક વ્યાસ દ્વારા ફરીથી 14મા વર્ષે ધરમપુરના ખારવેલ ગામમાં સવા 15 ફૂટ ઊંચું અને નવ લાખ રૂદ્રાક્ષની મદદથી મહા શિવલિંગ તૈયાર કરાયું છે. સતત નવ દિવસ સુધી આ શિવલિંગનો અભિષેક જાહેર જનતા માટે આજથી ખૂલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે ૧૧ કુંડી મહારુદ્ર યજ્ઞ અને શિવ મહાપુરાણ કથા આમ ત્રણેનું સુગંમ સમન્વય કાર્યક્રમ આજથી શરૂ થયો છે.

રેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે શિવલિંગ બનાવાયું
રેક વ્યક્તિ શિવલિંગને અભિષેક કરી શકે તે માટે શિવલિંગ બનાવાયું
આ પણ વાંચોઃ ગિરનાર સાધુ મંડળે શિવરાત્રી મેળો રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો

વલસાડ જિલ્લાના ધરમપુર વલસાડ રોડ ઉપર આવેલા ખારવેલ ગામમાં આજથી નવ દિવસ માટે ત્રણ સુગમ કાર્યક્રમનો સમય શરૂ થયો છે. 4 માર્ચ ગુરૂવારથી લઈ 12 માર્ચ શુક્રવાર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં શિવ મહાપૂરાણ કથા રૂદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન અને અભિષેક તેમ જ 11 કુંડી મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો પ્રારંભ આજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમ જ અનેક અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો

શિવરાત્રિ દરમિયાન અભિષેકનું શું છે મહત્ત્વ?

શિવરાત્રિના પાવન પર્વમાં શિવલિંગ ઉપર જળાભિષેક એ દૂધ અભિષેક સામાન્ય રીતે લોકો કરતા હોય છે અને તેનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે. બિલિપત્ર કે જળાભિષેક શિવલિંગને કરવાથી રોગ દોષ અને દરિદ્રતાનું નિવારણ થાય છે ત્યારે 9 લાખ રૂદ્રાક્ષમાંથી બનેલા મહા શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી 9 લાખ શિવલિંગ ઉપર અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થતું હોય છે, જેને લઈને અનેક લોકો આ મહાશિવલિંગ ઉપર અભિષેક કરવા માટે પહોંચી રહ્યા છે.

રૂદ્રાક્ષ એટલે કે રુદ્રનો અક્સ એટલે કે પોતે પણ એક શિવલિંગ કહી શકાય

સત યુગના સમયમાં જ્યારે ઋષિઓ વહેલી સવારે ન્યાસ રાખતા એટલે કે જ્યાં સુધી ભગવાનના શિવલિંંગ ઉપર અભિષેક ન કરે ત્યાં સુધી પોતે ભોજન ગ્રહણ ન કરતા ત્યારે અનેક ઋષિઓને અનેક સ્થળોએ જવાનું થતું હતું. આવા સમયમાં ક્યારેક એવો પણ સમય આવતો કે તે સમયે તેઓને સમયસર શિવલિંગના અભિષેક કરી શકતા ન હતા તો તે વખતે જો તેઓને શિવલિંગ પ્રાપ્ત ન થાય તો એક રુદ્રાક્ષના મણકા ઉપર અભિષેક કરી બિલીપત્ર ચઢાવી તેઓ પોતાની પૂજન વિધી પૂર્ણ કરતા હતા. આમ, ત્યારના સમયથી જ રૂદ્રાક્ષને એક શિવલિંગ તરીકે પૂજન કરવામાં આવે છે અને જેને અનુલક્ષીને મહાશિવનું નિર્માણ હાલ ધરમપુરમાં કરવામાં આવ્યું છે.

આ મહાશિવલિંગને લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ મળ્યું છે સ્થાન
9 લાખ રૂદ્રાક્ષ પર અભિષેક કરવો એટલે 9 લાખ શિવલિંગ ઉપર અભિષેક કર્યા બરાબર છે

9 લાખ રૂદ્રાક્ષમાંથી નિર્મિત કરવામાં આવેલું મહાશિવલિંગ જે અંદાજિત 15 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના ઉપર શિવરાત્રીના મહાપર્વના સમયે જણાવી છે કે દૂધ અભિષેક કરવો એટલે 9 લાખ શિવલિંગ ઉપર એક સાથે અભિષેક કર્યા બરાબર નવું પુણ્ય અભિષેક કરનારને પ્રાપ્ત થાય છે. આમ, શાસ્ત્રો અનુસાર, શિવની પૂજા અને અભિષેકનું શિવરાત્રિ દરમિયાન એક અનોખું મહત્ત્વ છે અને આ કાર્યક્રમ આથી સતત 9 દિવસ સુધી એટલે કે 12 માર્ચ સુધી ચાલશે.

આ પણ વાંચોઃ આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક

જાણો... કોણ છે બટુકભાઈ વ્યાસ?

આધુનિક અનોખી અને દાર્શનિક રૂદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક તેમ જ 4 વાર સતત લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર એવા સેવા કથાકાર બટુકભાઈ અનેક સ્થળોએ દર વર્ષે શિવરાત્રિ દરમિયાન મહાશિવ નવનિર્માણ કરે છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં સતત 14 વર્ષ સુધી રૂદ્રાક્ષના મહાશિવ નિર્માણ કરવામાં આવ્યું છે અને અનેક લોકોએ રાત્રી દરમિયાન તેના અભિષેકનો લાભ લીધો છે.

વલસાડ જિલ્લાના અગ્રણીઓ શિવપુરાણમાં રહ્યા ઉપસ્થિત
આમ, ધરમપુરના આંગણે મહાશિવરાત્રિના પાવન પર્વ દરમિયાન રૂદ્રાક્ષના મહાશિવના દર્શન અને અભિષેક શિવ મહાપુરાણ કથા તેમ જ 11 કુંડી મહારૂદ્ર યજ્ઞનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ, ભાજપ વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ, ખારવેલ ગામના સરપંચ રેખા પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.