આદિવાસી વિકાસ સંગઠન દ્વારા શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં માજી સૈનિકો ઉપરાંત દેશ માટે સીમાના રખોપા કરનાર સૈનિક ખુશાલ વાઢુ, ગુજરાતથી રાજસ્થાન સુધી પર્યાવરણની જનજાગૃતિ ફેલાવી હજારો વૃક્ષોનું વાવેતર કરનાર આશાપુરા માનવ કલ્યાણ સંસ્થાના અધ્યક્ષ નાનજીભાઈ ગુર્જરનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં કાર્યક્રમાં સંગઠન દ્વારા દમણ-સેલવાસના પ્રશાસક પ્રફુલ પટેલને અને ડાંગના સેવાભાવી સ્વામી પી.પી. સ્વામી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના હતા જેમાં પ્રફુલ પટેલ ગેરહાજર રહેતા સમગ્ર કાર્યક્રમ પી. પી. સ્વામીના આતિથ્ય સત્કાર સાથે પ્રારંભ થયો હતો. અન્ય મહાનુભવોમાં આદિવાસી વિકાસ પ્રધાન રમણ પાટકર, આદિવાસી સાંસદ કે. સી. પટેલ, નવસારી સાંસદ, પારડી ધારાસભ્ય, કપરાડા, ધરમપુર, વલસાડના ધારાસભ્ય, વલસાડ કલેકટર, વલસાડ જિલ્લા પોલીસવડા સહિત અનેક નામી રાજકીય આગેવાનો, અધિકારીઓ અને સમાજના આગેવાનોને આમંત્રિત કર્યા હતા પરંતુ તેમના એકપણ આગેવાન કે વાપીના દેશભક્ત લોકો 2 મિનિટના મૌન પાળવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા.
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં જો કે ખાલી ખુરશીઓ વચ્ચે સન્માનિત થયેલા પર્યાવર્ણપ્રેમી નાનજીભાઈ ગુર્જરે સંસ્થાનો આભાર માની જણાવ્યું હતું કે કાર્યક્રમ આદિવાસી સમાજમાં એકતા અને જનજાગૃતિ અણવાનો હતો. જેઓ આટલે દૂર આવી ના શકે જ્યારે ભોજનની વ્યવસ્થા હોત તો શહેરીજનો જરૂર આવત, તેમ છતાં જેમ મેવાડના મહારાણા પ્રતાપ 8 વાર હાર્યા બાદ ઘાસની રોટી ખાઈ ભીલરાણાઓના સહયોગથી 9મી લડાઈમાં વિજય મેળવીને રહ્યા હતાં. તેમ આ સંસ્થા માટે પણ દેશભક્તિ દાખવનારા રાણાઓનો સહકાર મળશે નિરાશ થવાની જરૂર નથી. બસ સંસ્થાએ સારા કાર્યો માટે આગળ વધતું રહેવુ જોઈએ.
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં