ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત બાદ અર્જુન મુંડાએ કોંગ્રેસ AAP પર કર્યા આકરા પ્રહાર - Arjun Munda Congress on AAP
ઉનાઈગામ ખાતેથી ભગવાન બિરસા મુંડા આદિવાસી (BJP Gujarat Gaurav Yatra) ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે યાત્રા વલસાડ જિલ્લાના વાપી થઈ કપરાડા (Gujarat Gaurav Yatra in Kaprada) તાલુકામાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. જ્યાં કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ કોંગ્રેસ અને AAP પર આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly Election)

વલસાડ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દક્ષિણ ગુજરાતના યાત્રાધામ ઉનાઈગામ (BJP Gujarat Gaurav Yatra) ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે યાત્રા વલસાડ જિલ્લાના વાપી થઈ કપરાડા તાલુકામાં આવી પહોંચી હતી. જ્યાં નાનાપોઢા ખાતે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંગી જનમેદની ઉમટી હતી. (Gujarat Gaurav Yatra in Kaprada)
ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત વલસાડ જિલ્લામાં આવેલા ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું કપરાડા વિધાનસભામાં પ્રવેશ કરતા ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન અર્જુન મુંડા તેમજ રાજ્યના પ્રધાન નરેશ પટેલ, પ્રધાન જીતુ ચૌધરી સહિત યાત્રામાં જોડયાયેલા તમામ લોકોનું ભવ્ય (Gujarat Gaurav Yatra) સ્વાગત કરવામાં આવ્યું હતું.

નાનાપોઢા ખાતે રેલી જાહેરસભામાં ફેરવાઈ આ યાત્રા કપરાડાના નાનાપોઢામાં (Unaigam Gujarat Pride Yatra) પહોંચતા જાહેરસભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે જાહેરસભાને સંબોધન કરતા કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા આદિવાસીઓના વિકાસના કામોની રૂપરેખા આપી હતી. આદિવાસી સમાજ માટે સરકાર દ્રારા જે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી અને જે રીતે યોજનાઓ થકી આદિવાસી સમાજનો વિકાસ થયો છે. જે અત્યાર સુધી કોઈ સરકારે કર્યો નથી. (Arjun Munda Congress on AAP)
અર્જુન મુંડા કોંગ્રેસ અને AAP પર કર્યા પ્રહારો કોંગ્રેસ પાર્ટી અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે પણ ઉહાપોહ સ્થિતિ સર્જાઈ છે. તેમનામાં નેતૃત્વનો સંપૂર્ણ અભાવ છે. તેમની પાર્ટીને માત્ર સત્તા જોઈએ છે. દેશ માટે ભવિષ્ય અંગે કોઈ ચિંતા નથી. તેમણે કહ્યું કે દેશને ભાજપ વાસ્તવિક રૂપે સંગઠીત કરવાના નેમ સાથે સશક્ત અને ભારતને શ્રેષ્ઠ બનાવવા માંગીએ છે. (Gujarat Assembly Election 2022)