ETV Bharat / state

વાપી ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, હુમલાખોરોનું નિશાન હતો બિલ્ડર

author img

By

Published : Jul 11, 2019, 11:26 PM IST

વાપીઃ શહેરમાં મંગળવારે એક બિલ્ડરના કર્મચારી પર ફાયરીંગ થયેલી ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં જમીનના કબજા અંગે અને માલિકી અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ જમીન પર બની રહેલ રો હાઉસમાં વલસાડ જિલ્લાના બેથી ત્રણ પોલીસ કર્મચારીઓએ પણ મિલકત ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હુમલો બિલ્ડર પર કરવા જતાં તનો નિર્દોષ કર્મચારી ફાઇરીંગની ઝપટમાં આવી ગયો હતો.

વાપી ફાયરીંગની ઘટનામાં આવ્યો નવો વળાંક, જમીન માલિકી બાબતે કરાયું ફાયરીંગ

શહેરમાં મંગળવારના રોજ કન્સ્ટ્રકશન સાઇટ પર ફાયરિંગ થયું હતું. સલવાવ ગામે જૂનો સર્વે નંબર 90 તથા નવા સર્વે નંબર 64ની કરોડો રૂપિયાની જમીન જશુમતિ ઉર્ફે જશોદાબેન ચંદ્રકાન્ત માહ્યાવંશીના નામે વારસાઇમાં ચાલી આવે છે. આ જમીનની માલિકી માટે મંગળવારે એક પાર્ટીએ 8થી 10 માણસો બોલાવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વાપી ફાયરીંગની ઘટનામાં આવ્યો નવો વળાંક, જમીન માલિકી બાબતે કરાયું ફાયરીંગ

આ ફાયરીંગની ઘટના બાદ સલવાવના જશુમતિ ઉર્ફે જશોદાબેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સર્વે નંબર 90 તથા નવા સર્વે નંબર 64ની જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવા માટે વર્ષ 2010માં સલવાવના અજય કેશવભાઇ પટેલને જમીનમાં વારસાઇથી નામ દાખલ થયેલા તમામ લોકોએ સર્વસંમતિથી પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હતો. જોકે, આ પાવર ઓફ એટર્નીના આધારે વાપીના પ્રવિણ રાયચંદ શાહને વેચાણે આપી દીધી હતી. જોકે, ફરિયાદી અને જમીનના અન્ય હક્કદારોએ વાપી મામલતદાર કચેરીમાં વાંધા અરજી આપતા દસ્તાવેજ થઇ શક્યા ન હતા. બીજી તરફ આ જમીન ફરિયાદીએ વાપીના પ્રવિણ કેશવજી મણકાને વેચાણે આપી દીધી હતી.

પ્રવિણ શાહ અને પ્રવિણ મણકા બંને વ્યકિતઓ હાલ આ જમીન ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. જેને લઇને મંગળવારે બપોરે પ્રવિણ શાહ, વંદના સિંગ અને તેમના માણસો જમીન ઉપર કબજો જમાવવાના મુદ્દે માણસો બોલાવીને હુમલો કરીને ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સલવાવ સ્થિત કરોડો રૂપિયાની જમીનમાં રો હાઉસનો પ્રોજેક્ટ આવી રહ્યો છે. આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં વલસાડના કેટલાંક ઉચ્ચ પોલીસ અધિકારીઓના પણ રૂપિયા લાગેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસે માત્ર વાપી વિસ્તારમાં રહેતા રાણા નામના વ્યક્તિનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરી તપાસ આગળ વધારી છે.

શહેરમાં મંગળવારના રોજ કન્સ્ટ્રકશન સાઇટ પર ફાયરિંગ થયું હતું. સલવાવ ગામે જૂનો સર્વે નંબર 90 તથા નવા સર્વે નંબર 64ની કરોડો રૂપિયાની જમીન જશુમતિ ઉર્ફે જશોદાબેન ચંદ્રકાન્ત માહ્યાવંશીના નામે વારસાઇમાં ચાલી આવે છે. આ જમીનની માલિકી માટે મંગળવારે એક પાર્ટીએ 8થી 10 માણસો બોલાવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વાપી ફાયરીંગની ઘટનામાં આવ્યો નવો વળાંક, જમીન માલિકી બાબતે કરાયું ફાયરીંગ

આ ફાયરીંગની ઘટના બાદ સલવાવના જશુમતિ ઉર્ફે જશોદાબેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સર્વે નંબર 90 તથા નવા સર્વે નંબર 64ની જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવા માટે વર્ષ 2010માં સલવાવના અજય કેશવભાઇ પટેલને જમીનમાં વારસાઇથી નામ દાખલ થયેલા તમામ લોકોએ સર્વસંમતિથી પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હતો. જોકે, આ પાવર ઓફ એટર્નીના આધારે વાપીના પ્રવિણ રાયચંદ શાહને વેચાણે આપી દીધી હતી. જોકે, ફરિયાદી અને જમીનના અન્ય હક્કદારોએ વાપી મામલતદાર કચેરીમાં વાંધા અરજી આપતા દસ્તાવેજ થઇ શક્યા ન હતા. બીજી તરફ આ જમીન ફરિયાદીએ વાપીના પ્રવિણ કેશવજી મણકાને વેચાણે આપી દીધી હતી.

પ્રવિણ શાહ અને પ્રવિણ મણકા બંને વ્યકિતઓ હાલ આ જમીન ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. જેને લઇને મંગળવારે બપોરે પ્રવિણ શાહ, વંદના સિંગ અને તેમના માણસો જમીન ઉપર કબજો જમાવવાના મુદ્દે માણસો બોલાવીને હુમલો કરીને ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સલવાવ સ્થિત કરોડો રૂપિયાની જમીનમાં રો હાઉસનો પ્રોજેક્ટ આવી રહ્યો છે. આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં વલસાડના કેટલાંક ઉચ્ચ પોલીસ અધિકારીઓના પણ રૂપિયા લાગેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસે માત્ર વાપી વિસ્તારમાં રહેતા રાણા નામના વ્યક્તિનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરી તપાસ આગળ વધારી છે.

Intro:વાપી :- વાપીમાં મંગળવારે એક બિલ્ડરના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. અને જમીનના કબ્જા અંગે અને માલિકી અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. તો, આ જમીન પર બની રહેલ રો હાઉસમાં વલસાડ જિલ્લાના બે થી ત્રણ પોલીસ કર્મચારીઓએ પણ મિલકત ખરીદી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અને હુમલો બિલ્ડર પર કરવા જતાં તનો કર્મચારી રોંગ નંબરમાં ટીપાઈ ગયો હતો.


Body:વાપીમાં મંગળવારે જે કન્સ્ટ્રકશન સાઇટ પર ફાયરિંગ થયું હતું સલવાવ ગામે જૂનો સર્વે નંબર 90 તથા નવા સર્વે નંબર 64ની કરોડો રૂપિયાની જમીન જશુમતિ ઉર્ફે જશોદાબેન ચંદ્રકાન્ત માહ્યાવંશીના નામે વારસાઇમાં ચાલી આવેલી છે. આ જમીનની માલિકી બાબતે મંગળવારે એક પાર્ટીએ 8થી 10 માણસો બોલાવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 


આ ફાયરિંગની ઘટના બાદ સલવાવના જશુમતિ ઉર્ફે જશોદાબેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઉપરોક્ત સર્વે નંબરની જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવા માટે વર્ષ 2010માં સલવાવના જ અજય કેશવભાઇ પટેલને જમીનમાં વારસાઇથી નામ દાખલ થયેલા તમામ લોકોએ સર્વસંમતિથી પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હતો. 


આ પાવર ઓફ એટર્નીના આધારે વાપીના પ્રવિણ રાયચંદ શાહને વેચાણે આપી દીધી હતી. ફરિયાદી અને જમીનના અન્ય હક્કદારોએ વાપી મામલતદાર કચેરીમાં વાંધા અરજી આપતા દસ્તાવેજ થઇ શક્યા ન હતા. બીજી તરફ આ જમીન ત્યાર બાદ ફરિયાદીએ વાપીના પ્રવિણ કેશવજી મણકાને વેચાણે આપી દીધી હતી. આમ પ્રવિણ શાહ અને પ્રવિણ મણકા બંને ઇસમો હાલ આ જમીન ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. જેને લઇને મંગળવારે બપોરે પ્રવિણ શાહ, વંદના સિંગ અને તેમના માણસો જમીન ઉપર કબજો જમાવવાના મુદ્દે 7થી 8 માણસો બોલાવીને હુમલો કરીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું પોલીસમાં જણાવાયું છે. 


સલવાવ સ્થિત કરોડો રૂપિયાની જમીનમાં રો હાઉસનો પ્રોજેક્ટ આવી રહ્યો છે. જોકે, આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં વલસાડના કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓના પણ રૂપિયા લાગેલા હોવાનું જાણવા મળે છે. હાલ તો પોલીસે માત્ર વાપી વિસ્તારમાં રહેતા રાણા નામક ઇસમનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરીને તપાસ આગળ વધારી છે. 

Conclusion:જમીન ઉપર કબજો મેળવવા માટે આવેલી ગેંગના માણસોએ પ્રવિણ મણકા હોવાનું માનીને તેમના માણસ વિશાલ સિંદે ઉપર ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળે છે. વિશાલ સિંદે જે કારમાં આવ્યો હતો એ કાર પ્રવિણની હોવાથી ફાયરિંગ થયું હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.