વલસાડ: સમાજના યુવાનો લોકડાઉનમાં સતત લોકોને આ મદદ કરી રહ્યાં છે. આ માટે સંસ્થાના સ્વયં સેવકો જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે કે, શેરી મહોલ્લામાં જઈને આ વિતરણ કરે છે.
![lockdown-appeals-to-social-organizations-stay-home-stay-healthy-we-will-provide-food-and-ration](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-lockdown-appeal-pkg-gj10020_04042020135200_0404f_01224_145.jpg)
આ અંગે ETV ભારતના માધ્યમથી સમાજના યુવાનોએ લોકોને અપીલ કરી હતી કે, તમે મોદીજીના લોકડાઉનના એલાનને સમર્થન આપો ઘરે રહો સ્વસ્થ રહો, કોરોનાની મહામારીથી દૂર રહેવાનો આ એક જ રામબાણ ઈલાજ છે. લોકોને જે કંઈપણ જરૂરિયાત છે. તે માટે અમે ઘરે આવીને આપી જઈશું.
![lockdown-appeals-to-social-organizations-stay-home-stay-healthy-we-will-provide-food-and-ration](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-lockdown-appeal-pkg-gj10020_04042020135200_0404f_01224_246.jpg)
શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળના કાર્યકર્તાઓ દ્વારા 10 દિવસમાં 17,000 લોકોને ભોજન કરાવ્યું છે. 3000 પરિવારોને અનાજ કરિયાણાની કીટ આપી છે અને આ માટે અન્ય કોઈ સંસ્થા પાસેથી કોઈ જ મદદ લેવામાં આવી નથી.
![lockdown-appeals-to-social-organizations-stay-home-stay-healthy-we-will-provide-food-and-ration](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-03-lockdown-appeal-pkg-gj10020_04042020135200_0404f_01224_613.jpg)
હજૂ પણ આગામી દિવસો દરમિયાન આ સેવાની સરવાણી અવિરતપણે શરૂ રાખવા પણ સંસ્થા દ્રઢ નિશ્ચયી બન્યા છે. આવી અન્ય સંસ્થાઓ પણ છે જે ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ત્યારે, ETV ભારતની પણ દેશના દરેક નાગરિકને અપીલ કરે છે કે, ઘરે રહો અને કોરોનાની મહામારી સામે પોતાને પોતાના પરિવારને દૂર રાખો.