વલસાડના મોટા સુરવાડા ખાતે દરિયામાં ડૂબી જવાથી 4 વિદ્યાર્થીઓનું મોત થયું હતું. મૃતકો વલસાડ કોમર્સ કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં. તેમના મૃત્યુથી કૉલેજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કૉલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે એ માટે કૉલેજ કેમ્પસમાં આવેલા સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે મૃતક વિદ્યાર્થીઓની આત્માની શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
બે દિવસ પૂર્વે વલસાડની કૉલેજના બે યુવક અને બે યુવતી દરિયા કિનારે સાહેલગાહે ગયા હતા, અને અંદર બેટમાં ઉભા હતા. ત્યારે અચાનક ભરતી આવી જતા ફસાઈ જતા ચારે દરિયામાં તણાઈ ગયા હતા અને મોત નીપજ્યું હતું.
.