ETV Bharat / state

કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં પુરવઠા અધિકારીએ છાપો માર્યો, ઘઉં-ચોખાનો જથ્‍થો સીઝ કરાયો

author img

By

Published : Dec 4, 2020, 11:42 AM IST

વલસાડ જિલ્લાના પુરવઠા અધિકારી તેમજ કપરાડા મામલતદારના સહયોગ દ્વારા કપરાડાના જોગવેલ ગામે આવેલી ખજૂર ફળિયાની જોગવેલ ફ્લોર એન્ડ રાઇસ મીલમાં આકસ્મિક છાપો માર્યો હતો. જેમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ફ્લોર મીલ સંચાલકને આ સમગ્ર બાબતે કાગળો રજૂ કરવાના રહેતા અને યોગ્ય કાગળો રજૂ નહીં કરી શક્યો અને આ તમામ સરકારી જથ્થો હાલ સિઝ કરવામાં આવ્યો છે.

Valsad News
Valsad News
  • કાળા બજારીયા તત્ત્વોને જેર કરવા તપાસની ઝુંબેશ સતત ચાલુ રહેશેઃ જિલ્લા કલેકટર આર.આર.રાવલ
  • પુરવઠા અધિકારીએ છાપો મારતા સ્થળ ઉપરથી ઘઉં અને ચોખાનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો
  • અનાજનો જથ્થો મિલમાલિક દ્વારા મુંબઈ મોકલવામાં આવતો હતો જે તપાસમાં બહાર આવ્યું છે
  • આકસ્મિક છાપો પડતા સ્થળ ઉપરથી એક આખી ટ્રક ભરીને અનાજનો જથ્થો મળી આવ્યો છે


વલસાડઃ જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, કપરાડા મામલતદાર કે.એસ. સુવેરાની ટીમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફલોર એન્‍ડ રાઇસ મીલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાયેલી આકસ્‍મિક ચકાસણીમાં આવી હતી.

સ્થળ ઉપરથી અનાજ ભરેલી એક ટ્રક પણ મળી આવી

ફલોર મીલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રકમાં ભરવામાં આવેલા ઘઉંના જથ્‍થા બાબતે ફલોર મીલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં પુરવઠા અધિકારીએ છાપો માર્યો
પ્રાથમિક તપાસમાં 87,200 કિલો ઘઉં અરે 7950 કિલો ચોખાનો જથ્થો મળ્યો

આ જથ્‍થાની પ્રાથમિક ચકાસણી કરતાં તે સરકારી હોવાનું જણાતાં ઘઉં 87,200 કિલો કિંમત રુપિયા 13.95 લાખ, ચોખા 7,950 કિલો કિંમત રુપિયા 1.35 લાખ અને ટ્રકની કિંમત રુપિયા 4.75 લાખ મળી કુલ રુપિયા 20.05 લાખનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો છે. આ સંબંધમાં તપાસની આગળની નિયમોનુસાર આગળની કાર્યવાહી થઇ રહી છે. ભવિષ્‍યમાં આવા કાળા બજાર કરવાવાળા તત્ત્વોને પકડવા તપાસની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જિલ્લા કલેકટર રાવલ દ્વારા જણાવ્‍યું છે.

તાજેતરમાં જિલ્લા કલેકટર આર.આર.રાવલે જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી જિલ્લામાં કાળા બજાર કરતા તત્‍વોને પકડી પાડવા માટે સખત ચેકિંગ હાથ ધરવા સ્‍પષ્‍ટ સુચના આપવામાં આવી હતી.

  • કાળા બજારીયા તત્ત્વોને જેર કરવા તપાસની ઝુંબેશ સતત ચાલુ રહેશેઃ જિલ્લા કલેકટર આર.આર.રાવલ
  • પુરવઠા અધિકારીએ છાપો મારતા સ્થળ ઉપરથી ઘઉં અને ચોખાનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો
  • અનાજનો જથ્થો મિલમાલિક દ્વારા મુંબઈ મોકલવામાં આવતો હતો જે તપાસમાં બહાર આવ્યું છે
  • આકસ્મિક છાપો પડતા સ્થળ ઉપરથી એક આખી ટ્રક ભરીને અનાજનો જથ્થો મળી આવ્યો છે


વલસાડઃ જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, કપરાડા મામલતદાર કે.એસ. સુવેરાની ટીમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફલોર એન્‍ડ રાઇસ મીલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાયેલી આકસ્‍મિક ચકાસણીમાં આવી હતી.

સ્થળ ઉપરથી અનાજ ભરેલી એક ટ્રક પણ મળી આવી

ફલોર મીલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રકમાં ભરવામાં આવેલા ઘઉંના જથ્‍થા બાબતે ફલોર મીલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં પુરવઠા અધિકારીએ છાપો માર્યો
પ્રાથમિક તપાસમાં 87,200 કિલો ઘઉં અરે 7950 કિલો ચોખાનો જથ્થો મળ્યો

આ જથ્‍થાની પ્રાથમિક ચકાસણી કરતાં તે સરકારી હોવાનું જણાતાં ઘઉં 87,200 કિલો કિંમત રુપિયા 13.95 લાખ, ચોખા 7,950 કિલો કિંમત રુપિયા 1.35 લાખ અને ટ્રકની કિંમત રુપિયા 4.75 લાખ મળી કુલ રુપિયા 20.05 લાખનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો છે. આ સંબંધમાં તપાસની આગળની નિયમોનુસાર આગળની કાર્યવાહી થઇ રહી છે. ભવિષ્‍યમાં આવા કાળા બજાર કરવાવાળા તત્ત્વોને પકડવા તપાસની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જિલ્લા કલેકટર રાવલ દ્વારા જણાવ્‍યું છે.

તાજેતરમાં જિલ્લા કલેકટર આર.આર.રાવલે જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી જિલ્લામાં કાળા બજાર કરતા તત્‍વોને પકડી પાડવા માટે સખત ચેકિંગ હાથ ધરવા સ્‍પષ્‍ટ સુચના આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.