ETV Bharat / state

વડોદરા: કોરોનાથી સુરક્ષા માટે પશુપાલકોએ પોતાના પશુઓને માસ્ક પહેરાવ્યું - કોરોના વાઇરસને લઈને પશુપાલકોએ પણ પોતાના પશુની સલામતી માટે માસ્ક પહેરાવ્યું

વડોદરાના વાઘોડિયામાં કોરોના વાઇરસને લઈને પશુપાલકોએ પણ પોતાના પશુની સલામતી માટે તેને માસ્ક પહેરાવ્યું છે. વાઘોડિયા તાલુકા ખન્ધા ગામના રમણભાઈ દુધાળા પશુપાલકનો વ્યવસાય કરે છે.

વડોદરા
વડોદરા
author img

By

Published : Apr 23, 2020, 8:04 PM IST

Updated : Apr 23, 2020, 8:33 PM IST

વડોદરા: પશુપાલક રમણભાઈએ પોતાના તબેલામાં 20 થી25 જેટલી દુધાળી ગાયોને કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરાવ્યા છે. ગાયોના તબેલામાં નિયમિત પણે ચોખ્ખાઈ રાખીને સેનેટાઇઝર સ્પ્રે પણ તબેલામાં કરવામાં આવે છે. કોરોના વાઇરસને લઈને માનવ તો પોતાની સલામતી માટે ઉપાયો કરે છે. ત્યારે દુધાળા પશુધનની સલામતી માટે પણ કોરોના સામેના રક્ષણ માટે અલગ-અલગ ઉપાયો કરવામાં આવે છે.

વડોદરા વાઘોડિયા
આપણા દેશના વડાપ્રધાનના આદેશનું પાલન દેશના લોકો તો કરે છે. ત્યારે એક પશુપાલક પોતાના કોરોનાના રક્ષણ સાથે પોતાના દુધાળા પશુઓનુ પણ કોરોના વાઇરસને ડામમાં રક્ષણ કરતા જોવા મળ્યા હતા. વાઘોડિયા તાલુકાના ખન્ધા ગામના પશુપાલકે પોતાના તબેલામાં 20 થી 25 જેટલી દુધાળી ગાયો રાખી છે. રમણભાઈનું પોતાનું જીવન તબેલા પર નિર્ભર છે.


જેથી પોતાની ગાયોને કોરોના વાઇરસથી બચાવવા માટે માસ્ક તેમજ તબેલામાં ગાયો પર સેનેટાઈઝરનો છંટકાવ પણ કરવામાં આવે છે. તેમજ તબેલાને બે થી ત્રણ ટાઈમ પાણીથી સ્વચ્છ ક્લીન કરવામાં આવે છે.

વડોદરા: પશુપાલક રમણભાઈએ પોતાના તબેલામાં 20 થી25 જેટલી દુધાળી ગાયોને કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરાવ્યા છે. ગાયોના તબેલામાં નિયમિત પણે ચોખ્ખાઈ રાખીને સેનેટાઇઝર સ્પ્રે પણ તબેલામાં કરવામાં આવે છે. કોરોના વાઇરસને લઈને માનવ તો પોતાની સલામતી માટે ઉપાયો કરે છે. ત્યારે દુધાળા પશુધનની સલામતી માટે પણ કોરોના સામેના રક્ષણ માટે અલગ-અલગ ઉપાયો કરવામાં આવે છે.

વડોદરા વાઘોડિયા
આપણા દેશના વડાપ્રધાનના આદેશનું પાલન દેશના લોકો તો કરે છે. ત્યારે એક પશુપાલક પોતાના કોરોનાના રક્ષણ સાથે પોતાના દુધાળા પશુઓનુ પણ કોરોના વાઇરસને ડામમાં રક્ષણ કરતા જોવા મળ્યા હતા. વાઘોડિયા તાલુકાના ખન્ધા ગામના પશુપાલકે પોતાના તબેલામાં 20 થી 25 જેટલી દુધાળી ગાયો રાખી છે. રમણભાઈનું પોતાનું જીવન તબેલા પર નિર્ભર છે.


જેથી પોતાની ગાયોને કોરોના વાઇરસથી બચાવવા માટે માસ્ક તેમજ તબેલામાં ગાયો પર સેનેટાઈઝરનો છંટકાવ પણ કરવામાં આવે છે. તેમજ તબેલાને બે થી ત્રણ ટાઈમ પાણીથી સ્વચ્છ ક્લીન કરવામાં આવે છે.

Last Updated : Apr 23, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.