ETV Bharat / state

સાવલીમાં 4 દિવસથી આતંક મચાવનારા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો

author img

By

Published : Sep 29, 2020, 3:40 PM IST

વડોદરા નજીક સાવલી અને ગોઠડા ગામે છેલ્લા 4 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો હતો. ગ્રામજનોમાં ભારે ખોફ ફેલાવનારા પૂંછ વિનાના કપિરાજને વનવિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

vadodara news
vadodara news

વડોદરાઃ જિલ્લાના સાવલી ગામે જશોદા નગર સોસાયટીમાં અને ગોઠડા ગામમાં છેલ્લા ચારેક દિવસથી એક કપિરાજ લોકો પર હુમલા કરતો હતો. જેમાં 5થી 6 લોકોને ઈજા થઈ હતી.

vadodara news
ખોફ મચાવનારા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો

કપિરાજ આવતા-જતા લોકોને બચકા પણ ભરતો હતો. જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. આ ઉપરાંત લોકો કપિરાજથી બચવા માટે લાકડી અને અન્ય મારક હથિયારો સાથે બહાર નિકળતા હતા. આ બાબતે વનવિભાગને જાણ કરાતા આજે મંગળવારે વહેલી સવારે પાંજરૂ મૂકી કપિરાજને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

vadodara news
ખોફ મચાવનારા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો

વડોદરાઃ જિલ્લાના સાવલી ગામે જશોદા નગર સોસાયટીમાં અને ગોઠડા ગામમાં છેલ્લા ચારેક દિવસથી એક કપિરાજ લોકો પર હુમલા કરતો હતો. જેમાં 5થી 6 લોકોને ઈજા થઈ હતી.

vadodara news
ખોફ મચાવનારા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો

કપિરાજ આવતા-જતા લોકોને બચકા પણ ભરતો હતો. જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. આ ઉપરાંત લોકો કપિરાજથી બચવા માટે લાકડી અને અન્ય મારક હથિયારો સાથે બહાર નિકળતા હતા. આ બાબતે વનવિભાગને જાણ કરાતા આજે મંગળવારે વહેલી સવારે પાંજરૂ મૂકી કપિરાજને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

vadodara news
ખોફ મચાવનારા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.