ETV Bharat / state

વડોદરા એસીબીએ પીઆઇ અને કોન્સ્ટેબલને લાંચ-રૂશ્વત કેસમાં ઝડપ્યા

author img

By

Published : Jun 28, 2019, 1:29 PM IST

વડોદરાઃ શહેરના ગૌત્રી પોલીસ સ્ટેશનના PI ડી.કે. રાવ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિ સામે 35 હજારની લાંચ રૂશ્વતનો ગુનો એસીબીમાં નોંધાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક અરજીની તપાસમાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા એસીબીએ પીઆઇ અને કોન્સ્ટેબલને લાંચ-રૂશ્વત કેસમાં ઝડપ્યા

માહિતી પ્રમાણે, વડોદરાની એક કંપનીમાં કર્મચારીએ ઉચાપત કરી હતી. આ અંગે કંપની દ્વારા કર્મચારીની વિરુધ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં ગોત્રી પોલીસ દ્વારા આ અરજીની તપાસ દરમિયાન બંને પક્ષોને સમાધાન કરવા માટે સમજાવતા કહેવામાં આવ્યું કે, જો ગુનો નોંધીશુ તો આરોપીની ધરપકડ થશે અને બંને પક્ષોને હેરાન થવું પડશે. અરજીનો સમગ્ર મુદ્દો ગોત્રી પોલીસ સ્ટેશનના PI રાવ પાસે ગયો હતો અને તેમણે સમાધાન કરવા માટે 1 લાખ રૂપીયાની માંગણી કરી હતી.

ગત્ એપ્રીલમાં આ અરજીના સમાધાન થયા બાદ PI ડી.કે. રાવે 30 હજાર લાંચ પેટે લીધા હતા. જ્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિએ આ અરજી તપાસમાં 5 હજાર લાંચ પેટે લીધા હતાં. આ અંગે લાંચ આપ્યાના પુરાવા સાથે એસીબી કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ગોત્રીના PI તેમજ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માહિતી પ્રમાણે, વડોદરાની એક કંપનીમાં કર્મચારીએ ઉચાપત કરી હતી. આ અંગે કંપની દ્વારા કર્મચારીની વિરુધ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં ગોત્રી પોલીસ દ્વારા આ અરજીની તપાસ દરમિયાન બંને પક્ષોને સમાધાન કરવા માટે સમજાવતા કહેવામાં આવ્યું કે, જો ગુનો નોંધીશુ તો આરોપીની ધરપકડ થશે અને બંને પક્ષોને હેરાન થવું પડશે. અરજીનો સમગ્ર મુદ્દો ગોત્રી પોલીસ સ્ટેશનના PI રાવ પાસે ગયો હતો અને તેમણે સમાધાન કરવા માટે 1 લાખ રૂપીયાની માંગણી કરી હતી.

ગત્ એપ્રીલમાં આ અરજીના સમાધાન થયા બાદ PI ડી.કે. રાવે 30 હજાર લાંચ પેટે લીધા હતા. જ્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિએ આ અરજી તપાસમાં 5 હજાર લાંચ પેટે લીધા હતાં. આ અંગે લાંચ આપ્યાના પુરાવા સાથે એસીબી કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ગોત્રીના PI તેમજ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા એસીબીએ  પીઆઇ અને કોન્સટેબલને લાંચના કેસમાં ઝડપાયા..

વડોદરા શહેરના ગૌત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.કે. રાવ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિએ એક લાખ રૂપિયાની લાંચ પૈકી રૂ.35 હજારની લાંચ લીધી હોવાનો ગુનો એસીબીએ નોંધતા શહેર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે..એક અરજીની તપાસમાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે..

મળતી માહિતી મુજબ વડોદરાની એક કંપનીમાં કર્મચારીએ ઉચાપત કરી હતી. આ અંગે કંપની દ્વારા કર્મચારી વિરુધ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપી હતી. ગોત્રી પોલીસ દ્વારા આ અરજીની તપાસ દરમિયાન બંને પક્ષોને સમાધાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા અને ગુનો નોંધીશુ તો આરોપીની ધરપકડ થશે બંને પક્ષોને હેરાન થવું પડશે તેવી વાત કરી સમાધાન કરી લો તેમ સમજાવાયા હતાં. અરજીનો સમગ્ર મુદ્દો ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ રાવ પાસે ગયો હતો અને તેમણે સમાધાન કરવા માટે રૂ.1 લાખની માંગણી કરી  હતી..

ગત્ત એપ્રીલ મહિનામાં અરજીનું સમાધાન થયા બાદ પીઆઇ ડી.કે. રાવે રૂ.30 હજાર લાંચ પેટે લીધા હતા જ્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિએ આ અરજી તપાસમાં  તેમણે પણ રૂ.5 હજાર લાંચ પેટે લીધા હતાં. આ અંગે  લાંચ આપ્યાના પુરાવા સાથે  એસીબી કચેરીમાં  ફરિયાદ કરવામાં આવી હતી..જેના આધારે ગોત્રીના પીઆઇ તેમજ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે..


--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.