ETV Bharat / state

વિશ્વામિત્રી નદીમાં મગરો વચ્ચે મળ્યો મૃતદેહ, તર્કવિતર્કો વચ્ચે તપાસ શરુ

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કોઇ વ્યક્તિએ છલાંગ લગાવી હોવાની જાણ સ્થાનિકો દ્વારા વડોદરા ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી. યુવકની શોધખોળ માટે ફાયર બ્રીગેડની ટીમ સોમવાર સવારથી (Man commits suicide in Vishwamitri )કામે લાગી હતી.દરમિયાનમાં વિશ્વામિત્રી નદી કિનારે આવેલા સંત કબીર નગર પાસે મગરોની વચ્ચે મૃતદેહ મળ્યો હતો. મગરોના ટોળાને દૂર કરી ફાયર બ્રીગેડે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

author img

By

Published : Jun 7, 2022, 3:14 PM IST

Updated : Jun 7, 2022, 3:41 PM IST

વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં (Vadodara Vishwamitri river)હજારોની સંખ્યામાં મગરો વસવાટ કરી રહ્યાં છે. જોકે આ મગરોએ કોઇ મનુષ્યનો જીવ લીધો હોય તેવો કિસ્સો હજી સુધી પ્રકાશમાં આવ્યો નથી કારણ કે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોએ કોઇ દિવસ મનુષ્યનો શિકાર કર્યો નથી. પરંતુ ક્યારેક જોવા મળતા દ્રશ્યો પૈકીનો વિડિઓ જેમાં યુવકનો મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River)વસવાટ કરતા મગરોની વચ્ચે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મગર યુવકના મૃતદેહને પોતાના જડબામાં દબાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

વિશ્વામિત્રી નદીમાંથી મૃતદેહ બહાર કઢાયો

આ પણ વાંચોઃ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને યોજાઇ બેઠક

વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી - ગત રવિવારે મોડી સાંજે શહેરના ભીમનાથ બ્રીજ પરથી કોઇ અજાણી વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી હોવાની જાણ સ્થાનિકો(Man commits suicide in Vadodara)દ્વારા વડોદરા ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રીગેડ સ્થળ ઉપર દોડી આવી મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે અંધારૂ થઇ જતા અને મગરોનો ભય હોવાથી કામગીરી એક તબક્કો રોકી દેવી પડી હતી ત્યારબાદ યુવકની શોધખોળ માટે ફાયર બ્રીગેડની ટીમ સોમવાર વહેલી સવારથી કામે લાગી હતી. મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે ફાયર બ્રીગેડે યુવકની શોધખોળ કરી રહ્યાં હતા.

મગરોની વચ્ચે એક મૃતદેહ મળ્યો - પરંતુ દિવસ દરમિયાનની કામગીરીમાં તેઓને કોઇ સફળતા હાથ લાગી ન હતી જોકે યુવક કોણ છે તેની શોધખોળમાં સયાજીગંજ પોલીસનો સ્ટાફ પણ કામે લાગ્યો હતો. તેવામાં વહેલી સવારે ભીમનાથ બ્રીજથી અંદાજીત અડધો કિલોમીટીર દૂર વિશ્વામિત્રી નદી કિનારે આવેલા સંત કબીર નગર પાસે મગરોની વચ્ચે એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara: વિશ્વામિત્રી નદીમાં 3 દિવસમાં બે મગર મૃત હાલતમાં મળી આવ્યા

યુવકના મૃતદેહને બહાર કાઢ્યો - સ્થાનિકો દ્વારા સયાજીગંજ પોલીસ અને ફાયર બ્રીગેડને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર બ્રીગેડ અને પોલીસ સ્થળ ઉપર પહોંચે તે પહેલા 3થી વધુ મગરો વચ્ચે ઘેરાયેલા યુવકના મૃતદેહને એક મગરે પોતાના જડબામાં દબાવી લીધો હતો. ફાયર બ્રીગેડઅને પોલીસ જવાનો સ્થળ ઉપર પહોંચ્યાં હતા. મગરોના ટોળાને દૂર કરી ફાયર બ્રીગેડે ડીકમ્પોઝ થઇ ગયેલા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવક કોણ છે અને તેણે કયા કારણોસર મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા: શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં (Vadodara Vishwamitri river)હજારોની સંખ્યામાં મગરો વસવાટ કરી રહ્યાં છે. જોકે આ મગરોએ કોઇ મનુષ્યનો જીવ લીધો હોય તેવો કિસ્સો હજી સુધી પ્રકાશમાં આવ્યો નથી કારણ કે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોએ કોઇ દિવસ મનુષ્યનો શિકાર કર્યો નથી. પરંતુ ક્યારેક જોવા મળતા દ્રશ્યો પૈકીનો વિડિઓ જેમાં યુવકનો મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River)વસવાટ કરતા મગરોની વચ્ચે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મગર યુવકના મૃતદેહને પોતાના જડબામાં દબાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

વિશ્વામિત્રી નદીમાંથી મૃતદેહ બહાર કઢાયો

આ પણ વાંચોઃ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને યોજાઇ બેઠક

વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી - ગત રવિવારે મોડી સાંજે શહેરના ભીમનાથ બ્રીજ પરથી કોઇ અજાણી વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી હોવાની જાણ સ્થાનિકો(Man commits suicide in Vadodara)દ્વારા વડોદરા ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રીગેડ સ્થળ ઉપર દોડી આવી મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે અંધારૂ થઇ જતા અને મગરોનો ભય હોવાથી કામગીરી એક તબક્કો રોકી દેવી પડી હતી ત્યારબાદ યુવકની શોધખોળ માટે ફાયર બ્રીગેડની ટીમ સોમવાર વહેલી સવારથી કામે લાગી હતી. મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે ફાયર બ્રીગેડે યુવકની શોધખોળ કરી રહ્યાં હતા.

મગરોની વચ્ચે એક મૃતદેહ મળ્યો - પરંતુ દિવસ દરમિયાનની કામગીરીમાં તેઓને કોઇ સફળતા હાથ લાગી ન હતી જોકે યુવક કોણ છે તેની શોધખોળમાં સયાજીગંજ પોલીસનો સ્ટાફ પણ કામે લાગ્યો હતો. તેવામાં વહેલી સવારે ભીમનાથ બ્રીજથી અંદાજીત અડધો કિલોમીટીર દૂર વિશ્વામિત્રી નદી કિનારે આવેલા સંત કબીર નગર પાસે મગરોની વચ્ચે એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara: વિશ્વામિત્રી નદીમાં 3 દિવસમાં બે મગર મૃત હાલતમાં મળી આવ્યા

યુવકના મૃતદેહને બહાર કાઢ્યો - સ્થાનિકો દ્વારા સયાજીગંજ પોલીસ અને ફાયર બ્રીગેડને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર બ્રીગેડ અને પોલીસ સ્થળ ઉપર પહોંચે તે પહેલા 3થી વધુ મગરો વચ્ચે ઘેરાયેલા યુવકના મૃતદેહને એક મગરે પોતાના જડબામાં દબાવી લીધો હતો. ફાયર બ્રીગેડઅને પોલીસ જવાનો સ્થળ ઉપર પહોંચ્યાં હતા. મગરોના ટોળાને દૂર કરી ફાયર બ્રીગેડે ડીકમ્પોઝ થઇ ગયેલા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવક કોણ છે અને તેણે કયા કારણોસર મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Last Updated : Jun 7, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.