વડોદરાઃ આગામી 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી (Celebration of Uttarayan Parva on 14th January)કરવામાં આવશે. ત્યારે ઉતરાયણના પર્વ અગાઉ જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા પક્ષીઓને ઈજા ન પહોંચે તે રીતે પતંગ ચગાવવાની અપીલ કરવામાં આવી છે. તો સાથે સાથે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પક્ષીઓને ગંભીર ઈજા પહોંચતી હોવાથી તેનો ઉપયોગ નહીં કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
સવારે 7 થી 9માં પતંગ નહીં ઉડાવવા અપીલ
GSPCA સંસ્થાના રાજેશ ભાવસારે શહેરીજનોને સવારે 7 થી 9ના ગાળામાં પતંગ નહિ ઉડાવવા અપીલ (First aid to injured birds in the forest department)કરવામાં આવી છે. કેમકે આ સમયે પક્ષીઓ માળામાંથી બહાર આવતા હોવાનું જણાવ્યું હતું. તો સાંજે 5 થી 7ના ગાળામાં પક્ષીઓ ઘરે પરત ફરતા હોઈ આ સમયે પણ પતંગ(Makar Sankranti 2022) નહીં ઉડાવવા જણાવ્યું હતું.
3 સરકારી દવાખાનાઓમાં પક્ષીઓની થશે સારવાર
વડોદરા શહેરના પોલીટેક્નિક પાસે આવેલા સરકારી દવાખાને ઉપરાંત ફતેપુરા અને વન વિભાગમાં ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવશે. તેની સાથે સાથે વડોદરા શહેરની 45 જગ્યાએ હંગામી ધોરણે પક્ષીઓની સારવાર માટે સ્ટોલ ઉભા કરવામાં આવશે. જ્યાં ઇજાગ્રસ્ત પક્ષીઓને પ્રાથમિક સારવાર અપાશે. જ્યાંથી જરુંર લાગશે તો વધુ સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવશે.
આ પણ વાંચોઃ Third Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો આજકાલ ટ્રેડ વધ્યો છે. જેને લઈને પક્ષીઓ તો ઠીક નાગરિકોને પણ ગંભીર ઈજાઓ પહોંચે છે. જેને લઈને જ્યાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વહેચાતી હોય તેની પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. કેમકે ચાઈનીઝ દોરીથી પક્ષીઓની પાંખ પણ કપાઈ જતી હતી. જેને લઈને પછી તે ક્યારેય ઉડી શકતા નથી.
આ પણ વાંચોઃ Online Education In School: ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે જીતુ વાઘાણીને પત્ર લખ્યો, ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ