રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વૃદ્ધથી લઈને યુવાનોએ જોશભર્યા સંગીતના તાલે ઝુંબા વ્યાયામ કર્યો હતો. તેમજ મણિપુરના વ્યાયામ વીરોએ પરંપરાગત અને રોમાંચક ફુનાબા વ્યાયામના પ્રયોગો રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના છેલ્લા કથાનકમાં ફીટનેસને લઈ દેશવ્યાપી જાગૃતિ લાવવાની ઝુંબેશ આદરી હતી.
આમ, ભારત સરકારના ખેલ મંત્રાલયે રાજ્ય ખેલ વિભાગના સહયોગથી જન આંદોલનના ભાગરૂપે શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિનું અભિયાન ઉપાડ્યું હતું.