ETV Bharat / state

હરિધામ ફરી ચર્ચામાં: સોખડા હરિધામ સેવિકાના મૃત્યુને પગલે પોલીસ દોડતી થઇ - સોખડા હરિધામ

વડોદરા હરિધામ સોખડા મંદિરમાં(Vadodara Haridham Sokhda temple) ગુણાતીત સ્વામીના આત્મહત્યાનું રહસ્ય હજી અકબંધ છે. તેવામાં હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુની ઘટના સામે આવતા ફરી એક વાર પોલીસ દોડતી થઇ છે. મંદિરમાં 82 વર્ષના સેવિકાનું પડી જવાથી મોત થયું હોવાનું બહાર આવતા વિવાદ વધુ ચગ્યો છે.

હરિધામ ફરી ચર્ચામાં: સોખડા હરિધામ સેવિકાના મૃત્યુને પગલે પોલીસ દોડતી થઇ
હરિધામ ફરી ચર્ચામાં: સોખડા હરિધામ સેવિકાના મૃત્યુને પગલે પોલીસ દોડતી થઇ
author img

By

Published : May 25, 2022, 4:56 PM IST

વડોદરા હરિધામ સોખડા મંદિરના ગાદીપતિનો વિવાદ ચાલી (Sokhda Haridham Controversy)રહ્યો છે. થોડા સમય અગાઉ હરિધામ સંકુલમાં પ્રબોધ સ્વામી જૂથના ગુણાતીત સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતા અનેક (Vadodara Haridham Sokhda temple) સવાલો ઉઠ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસની ઢીલી તપાસને કારણે લાંબો સમય થયો હોવા છતાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુની ઘટના પરથી પરદો ઊંચકાયો નથી.

હરિધામમાં સેવિકાના મૃત્યુની ઘટના - આ દરમિયાન હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા ફરી એક વાર હરિધામ સંકુલમાં પોલીસના આંટાફેરા શરૂ થઈ ગયા છે. હરિધામ સંકુલમાં એક સેવિકાના મૃત્યુની ઘટના બની છે. હરિધામ સંકુલમાં છેલ્લા (Death of maid in Sokhada temple)ઘણા વર્ષોથી સેવા કરતા મૃદુલા બહેન જયેશ શાહ નામના 82 વર્ષીય મહિલા સેવિકાનું પલંગ પરથી પડી જતા મૃત્યુ નીપજ્યું છે. મૃદુલા બહેન આત્મીય કોલોનીમાં સેવિકાઓના નિવાસ્થાને પોતાના શયન કક્ષમાં ઊંઘતા હતા તે દરમિયાન લગભગ રાત્રે 10 વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જતા માથા તેમજ મોઢાના ભાગે ઇજા પહોંચી હતી મૃદુલા બહેનને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાનું હાલ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સોખડા તીર્થધામ બની રહ્યું છે કુરુક્ષેત્ર..! 6 સાધુ-સંતોના નિવેદનો બાદ પોલીસે ખંજવાળ્યું માથુ

સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લીધા - હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુની ઘટનાની જાણ થતાંની સાથે પોલીસ ફરી એકવાર દોડતી થઈ છે. તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હરિધામ સંકુલમાં મૃતક મૃદુલા બહેની સાથે રહેતા તેમજ સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન

પોલીસને અંધારામાં રાખવમાં આવી - હરિધામ સંકુલમાં થોડા સમય અગાઉ ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે મંદિર સંચાલકો દ્વારા પોલીસને અંધારામાં રાખવમાં આવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસ બાદ ગુણાતીત સ્વામીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. હાલ તાલુકા પોલીસ દ્વારા મૃદુલા બહેનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મૃદુલા બહેનના મૃત્યુનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે

વડોદરા હરિધામ સોખડા મંદિરના ગાદીપતિનો વિવાદ ચાલી (Sokhda Haridham Controversy)રહ્યો છે. થોડા સમય અગાઉ હરિધામ સંકુલમાં પ્રબોધ સ્વામી જૂથના ગુણાતીત સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતા અનેક (Vadodara Haridham Sokhda temple) સવાલો ઉઠ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસની ઢીલી તપાસને કારણે લાંબો સમય થયો હોવા છતાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુની ઘટના પરથી પરદો ઊંચકાયો નથી.

હરિધામમાં સેવિકાના મૃત્યુની ઘટના - આ દરમિયાન હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા ફરી એક વાર હરિધામ સંકુલમાં પોલીસના આંટાફેરા શરૂ થઈ ગયા છે. હરિધામ સંકુલમાં એક સેવિકાના મૃત્યુની ઘટના બની છે. હરિધામ સંકુલમાં છેલ્લા (Death of maid in Sokhada temple)ઘણા વર્ષોથી સેવા કરતા મૃદુલા બહેન જયેશ શાહ નામના 82 વર્ષીય મહિલા સેવિકાનું પલંગ પરથી પડી જતા મૃત્યુ નીપજ્યું છે. મૃદુલા બહેન આત્મીય કોલોનીમાં સેવિકાઓના નિવાસ્થાને પોતાના શયન કક્ષમાં ઊંઘતા હતા તે દરમિયાન લગભગ રાત્રે 10 વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જતા માથા તેમજ મોઢાના ભાગે ઇજા પહોંચી હતી મૃદુલા બહેનને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાનું હાલ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સોખડા તીર્થધામ બની રહ્યું છે કુરુક્ષેત્ર..! 6 સાધુ-સંતોના નિવેદનો બાદ પોલીસે ખંજવાળ્યું માથુ

સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લીધા - હરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુની ઘટનાની જાણ થતાંની સાથે પોલીસ ફરી એકવાર દોડતી થઈ છે. તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હરિધામ સંકુલમાં મૃતક મૃદુલા બહેની સાથે રહેતા તેમજ સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન

પોલીસને અંધારામાં રાખવમાં આવી - હરિધામ સંકુલમાં થોડા સમય અગાઉ ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે મંદિર સંચાલકો દ્વારા પોલીસને અંધારામાં રાખવમાં આવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસ બાદ ગુણાતીત સ્વામીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. હાલ તાલુકા પોલીસ દ્વારા મૃદુલા બહેનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મૃદુલા બહેનના મૃત્યુનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.