PM મોદીએ હિંમતનગરમાં શુ કહ્યુ,
- લોકસભાની 2019ની ચૂંટણીનો ચકરાવો શરૂ થઇ ગયો છે અને રાજકીય પક્ષોના જમા ઉધારના લેખાં જોખાંનો હિસાબ કિતાબ થઇ રહ્યો છે.
- પહેલાના પ્રધાનમંત્રી ને સાબરકાંઠા આવવાનો સમય નહોતો પરંતુ તમારો આ પ્રધાનમંત્રી ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી ને પણ અહીં લઇ આવ્યો છે. : ઇઝરાયેલની ટેક્નોલોજી નો લાભ આજે સાબરકાંઠાને મળી રહ્યો છે
- ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આટલા વર્ષો હું તમારી વચ્ચે રહ્યો છું અને તમે પણ જાણો છો કે આટલા વર્ષોમાં ક્યારેય આપણા પર કોઈ કલંક લાગ્યો નથી
- ગુજરાત સરકારને તોડવા માટે દિલ્હી દરબારે આકાશ પાતાળ ભેગા કરી દીધા હતા. પરંતુ હવે ફરીથી તેઓ આવા કાર્યો કરી શકે તેવો એમને મોકો નથી આપવાનો
- જે આખો પરિવાર જામીન પર બહાર છે, દેશને જેમણે લૂંટ્યો છે તેમને સજા આપવી જોઈએ કે નહીં?
- આખા પરિવારને આ ચા વાળો આંખના કણાની જેમ ખૂંચી રહ્યો છે.
- આપ સૌએ દેશની ચાર ગણી સેવા કરવા માટે મને દિલ્લી મોકલ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દેશ પાછલા પાંચ વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે
- શું આ મહામિલાવટી નેતાઓને ભારતની જનતાની સમજદારી પર ભરોસો નથી. 60 વર્ષમાં તેમણે કેવી કેવી સંસ્થાઓને બરબાદ કરી નાખી
- ટુકડે ટુકડે ગેંગનો બચાવ કરતા લોકો આ દેશમાં રાજ કરશે કે પછી રાષ્ટ્રભક્તિ કરનારા લોકો દેશની સેવા કરશે તે માટેની આ લોકસભાની ચૂંટણી છે.
- આપણા દેશ પર આતંકવાદી હુમલા થાય અને તમારો આ પ્રધાનમંત્રી ચૂપ રહે?
- ઉરી માં હુમલો થાય આપણા જવાનો શાહિદ થાય અને હું ચૂપ રહું?
- હું સરદાર સાહેબની ભૂમિમાં ઉછરેલો છું, દરેક હુમલાનો હિસાબ લેવો પડે.
- આ કોંગ્રેસ પાર્ટી દેશના સૈનિકોની સુરક્ષાને પણ હટાવવા માંગે છે.
- કોંગ્રેસના ઢકોસલા પત્રમાં વિધિવત રીતે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાં ઢંઢેરામાં લખેલું છે કે દેશદ્રોહનો કાયદો તે લોકો કાઢી નાખશે.
- આઝાદી પહેલા કોંગ્રેસ ગાંધીવાદી હતી પરંતુ હવે એજ કોંગ્રેસ પાર્ટી "ગાલીવાદી" બની ગઈ છે
- પહેલા તેમણે ચા વાળાને ગાળો આપી અને હવે તેઓ ચોકીદારને ગાળો આપે છે
- ચાર ચાર પેઢીથી ગરીબોની વાત કરે છે કોંગ્રેસ. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે હટી જાઓ દેશમાંથી ગરીબી પણ હટી જશે.
- તમારે હવે નિર્ણય કરવાનો છે કે પરિવારવાદ, વંશવાદ અને મહામિલાવટી લોકોને ગુજરાતમાં આવવા દેવા છે કે નહીં?
- કોંગ્રેસ પાર્ટીને ગુજરાતીઓ પ્રત્યે પહેલેથી અણગમો રહ્યો છે
- ગરીબો માટે ઘર બનાવવાનું હોય, ગેસ કનેક્શન આપવાના હોય કે ઘરે ઘરે વીજળી પહોંચાડવાની હોય અમારી સરકારે ભરપૂર પ્રયાસો કર્યા છે.
- આજે ફરી હું ગુજરાત પાસે 26માંથી 26 કમળ મેળવવા માટે તમારી વચ્ચે આવ્યો છું. તમે ભાજપના ઉમેદવારને મત આપશો, તે મત નરેન્દ્ર મોદીના ખાતામાં પડવાનો છે