વ્યારાના આર.એસ.એસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના યુવા કાર્યકરો દ્વારા મતદારોના ઘરે જઈને ભારત દેશનું લોકતંત્ર દુનિયાનું સૌથી મજબૂત લોકતંત્ર છે, જેને ટકાવી રાખવા માટે એક નાગરિક તરીકે મત આપવાની એ આપણી નૈતિક ફરજ છે. તેમજ મતદાન કરવું એ એક નાગરિકનું કર્તવ્ય છે, ત્યારે મતનો ઉપયોગ સમજી વિચારીને રાષ્ટ્રહિતમાં કરવો જેવા મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા.
આ યુવા કાર્યકરો દ્વારા વ્યારા ખાતે લગભગ 6 હજાર જેટલા મતદારોની મુલાકાત લઈને 'જાગો મતદાર જાગો' અભિયાન હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.