ETV Bharat / state

સુરત RTOને લોકડાઉન થી અનલોક દરમિયાન 1 થી 16 કરોડ સુધીની થઈ આવક

author img

By

Published : Oct 8, 2020, 12:24 PM IST

રાજ્યભરમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોની સલામતી જળવાય અને RTOની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે 4 જૂનથી આરટીઓ કચેરીઓને શરૂ કરી દેવાઈ હતી. જોકે, લોકડાઉન દરમ્યાન આરટીઓને થયેલી ઝીરો આવકમાંથી મે મહિના બાદ 1 કરોડ લઇને 16 કરોડ સુધીની આવક નોંધાઈ છે.

surat
સુરત

સુરત: અનલોક 1 અન્વયે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પાલ આરટીઓ કચેરી ખાતે અરજી અને સેવાઓને સીમિત કરી દેવામાં આવી હતી. જેમાં એક દિવસમાં લાયસન્સ માટે 200 અરજીઓ ,નંબર પ્લેટ માટે 100 અરજીઓ અને વ્હીકલ સર્વિસ માટે 200 અરજીઓ જ સ્વીકારવામાં આવી રહી હતી. જોકે અનલોક 4 આવતા સુધીમાં ઓફિસની વ્યવસ્થા વધતા સેવાઓ માટેની અરજીઓના સ્વીકારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં એક દિવસમાં ટેસ્ટ ડ્રાઈવ માટે 300 અરજીઓ ,નંબર પ્લેટ માટે 200 અરજીઓ અને વ્હીકલ સર્વિસ માટે 400 અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેને કારણે લોકડાઉન સમયે આરટીઓની ઠપ થઈ ગયેલી આવકમાં મે મહિનાથી નોંધપાત્ર વધારો નોંધાયો છે. મે મહિનાથી આરટીઓ કચેરીની આવક દોઢ કરોડથી લઈને અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધુ જોવા મળી રહી છે.

સુરત RTOને લોકડાઉન થી અનલોક દરમિયાન 1 થી 16 કરોડ સુધીની થઈ આવક
દરેક મહિનાઓની વાત કરવામાં આવે તો મે મહિનામાં આવક 1,60,16,713 રૂપિયા, જૂનમાં 12,83,28,065, જુલાઈમાં 12,86,61,497, ઓગસ્ટમાં 12,41,25,402 અને સપ્ટેમ્બરમાં 16,40,65,852 આવક રહી છે.આ અંગે ડી. કે. ચાવડાએ જણાવ્યું કે, શરૂઆતથી જ સેનિટાઈઝેશન, ટેમ્પરેચર ચેકિંગ , રજીસ્ટ્રેશન વગેરે ગાઈડલાઈનથી જ અરજદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે હજી અકબંધ છે. અનલોક બાદ શરૂઆતના મહિનાઓ દરમિયાન રજીસ્ટ્રેશન ઓછા જણાયા હતા. જોકે, હાલ તેઓની સંખ્યા વધી છે અને લોકડાઉન બાદ થયેલી આવકમાં નોંધપાત્ર વધારો છે. હાલ એક કલાકના 30 અરજદારો પ્રમાણે સેવા આપવામાં આવી રહી છે. જોકે, કોરોનાને કારણે વ્હીકલ રજિસ્ટ્રેશનના બુકિંગમાં 20 થી 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

સુરત: અનલોક 1 અન્વયે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પાલ આરટીઓ કચેરી ખાતે અરજી અને સેવાઓને સીમિત કરી દેવામાં આવી હતી. જેમાં એક દિવસમાં લાયસન્સ માટે 200 અરજીઓ ,નંબર પ્લેટ માટે 100 અરજીઓ અને વ્હીકલ સર્વિસ માટે 200 અરજીઓ જ સ્વીકારવામાં આવી રહી હતી. જોકે અનલોક 4 આવતા સુધીમાં ઓફિસની વ્યવસ્થા વધતા સેવાઓ માટેની અરજીઓના સ્વીકારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં એક દિવસમાં ટેસ્ટ ડ્રાઈવ માટે 300 અરજીઓ ,નંબર પ્લેટ માટે 200 અરજીઓ અને વ્હીકલ સર્વિસ માટે 400 અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેને કારણે લોકડાઉન સમયે આરટીઓની ઠપ થઈ ગયેલી આવકમાં મે મહિનાથી નોંધપાત્ર વધારો નોંધાયો છે. મે મહિનાથી આરટીઓ કચેરીની આવક દોઢ કરોડથી લઈને અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધુ જોવા મળી રહી છે.

સુરત RTOને લોકડાઉન થી અનલોક દરમિયાન 1 થી 16 કરોડ સુધીની થઈ આવક
દરેક મહિનાઓની વાત કરવામાં આવે તો મે મહિનામાં આવક 1,60,16,713 રૂપિયા, જૂનમાં 12,83,28,065, જુલાઈમાં 12,86,61,497, ઓગસ્ટમાં 12,41,25,402 અને સપ્ટેમ્બરમાં 16,40,65,852 આવક રહી છે.આ અંગે ડી. કે. ચાવડાએ જણાવ્યું કે, શરૂઆતથી જ સેનિટાઈઝેશન, ટેમ્પરેચર ચેકિંગ , રજીસ્ટ્રેશન વગેરે ગાઈડલાઈનથી જ અરજદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે હજી અકબંધ છે. અનલોક બાદ શરૂઆતના મહિનાઓ દરમિયાન રજીસ્ટ્રેશન ઓછા જણાયા હતા. જોકે, હાલ તેઓની સંખ્યા વધી છે અને લોકડાઉન બાદ થયેલી આવકમાં નોંધપાત્ર વધારો છે. હાલ એક કલાકના 30 અરજદારો પ્રમાણે સેવા આપવામાં આવી રહી છે. જોકે, કોરોનાને કારણે વ્હીકલ રજિસ્ટ્રેશનના બુકિંગમાં 20 થી 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.