ETV Bharat / state

સુરત : બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો

author img

By

Published : Dec 19, 2020, 8:41 PM IST

સુરત જિલ્લાના બારડોલી શહેર નજીક આવેલા પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ શનિવારના રોજ યોજાયો હતો. કોરોના મહામારીને કારણે મોટું આયોજન કરવામાં આવ્યું ન હતું. માત્ર બ્રાહ્મણોએ પૂજા વિધિ કરી પાટોત્સવની ઉજવણી કરી હતી.

બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિર
બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિર
  • 700 વર્ષ પૌરાણિક છે બારડોલીનું કેદારેશ્વર મહાદેવ મંદિર
  • 2010માં બનાવવામાં આવ્યું હતું ભવ્ય મંદિર
  • 11મા પાટોત્સવની ઉજવણી કરાઇ

સુરત : બારડોલી નજીક આવેલા ખલી ગામ ખાતે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ શનિવારના રોજ યોજાયો હતો. વર્તમાન વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ સાદગીપૂર્વક માત્ર ભુદેવોની હાજરીમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય કોઈ જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો. દક્ષિણ ગુજરાતમાં પૌરાણિક ધાર્મિક તીર્થસ્થળ બારડોલી ધૂલીયા હાઈવે પર ખલી ગામની સીમમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર 700 વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે.

બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો

જાણો શું છે મંદિરથી જોડાયેલી લોક વાયકા?

લોક વાયકા મુજબ તે સમયે આ જગ્યા પર ગૌચર હતું. આથી આજુબાજુના ગામના ગોવાળો ગાયો ચરાવવા માટે આવતા હતા. જેમાંથી એક ગાય રોજ એક જ જગ્યાએ દૂધની સેર વહેડાવતી હતી. ગોવાળો રોજ ગાયને આપમેળે જ દૂધની સેર વહેડાવતા જોતાં અચરજ પામ્યા હતા. એક દિવસ ત્યાં એક ગોવાળને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપ્યા અને તે જગ્યાએથી બહાર કાઢવા જણવ્યું હતું. જે બાદ તે સ્થાને ખોદકામ કરતા શિવલિંગ નીકળ્યું હતું. શિવલિંગ નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવવા લાગ્યા હતા. જે બાદ એક નાનકડું મંદિર બનાવી શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગ આજે પણ મંદિરમાં મોજૂદ છે.

2010માં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું

સમય જતા અહીં મંદિરના ટ્રસ્ટ દ્વારા સને 2010માં નાની ડેરીમાંથી ભવ્ય મંદિર બનાવી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. જેનો શનિવારના રોજ 11મો પાટોત્સવ હતો. જોકે, સાંપ્રત સમયમાં કોરોના મહામારીને કારણે ટ્રસ્ટ દ્વારા સાદગીથી પાટોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી માંથી ઉગારવા માટે પ્રાર્થના કરવામાં આવ્યું

શનિવારની વહેલી સવારે મંદિરના મુખ્ય પૂજારી એવા મેહુલગીરી ગોસ્વામી તેમજ ટ્રસ્ટ મંડળ દ્વારા તૈયારી કરવામાં આવી હતી અને ભુદેવોની હાજરીમાં યજમાન દ્વારા કથા, પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજામાં કોરોના મહામારી જલ્દી સમાપ્ત થાય અને સૌ સુખી થાય તે માટે મહાદેવ કેદારદાદાને પ્રાર્થના કરવામાં આવી હતી.

  • 700 વર્ષ પૌરાણિક છે બારડોલીનું કેદારેશ્વર મહાદેવ મંદિર
  • 2010માં બનાવવામાં આવ્યું હતું ભવ્ય મંદિર
  • 11મા પાટોત્સવની ઉજવણી કરાઇ

સુરત : બારડોલી નજીક આવેલા ખલી ગામ ખાતે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ શનિવારના રોજ યોજાયો હતો. વર્તમાન વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ સાદગીપૂર્વક માત્ર ભુદેવોની હાજરીમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય કોઈ જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો. દક્ષિણ ગુજરાતમાં પૌરાણિક ધાર્મિક તીર્થસ્થળ બારડોલી ધૂલીયા હાઈવે પર ખલી ગામની સીમમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર 700 વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે.

બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો

જાણો શું છે મંદિરથી જોડાયેલી લોક વાયકા?

લોક વાયકા મુજબ તે સમયે આ જગ્યા પર ગૌચર હતું. આથી આજુબાજુના ગામના ગોવાળો ગાયો ચરાવવા માટે આવતા હતા. જેમાંથી એક ગાય રોજ એક જ જગ્યાએ દૂધની સેર વહેડાવતી હતી. ગોવાળો રોજ ગાયને આપમેળે જ દૂધની સેર વહેડાવતા જોતાં અચરજ પામ્યા હતા. એક દિવસ ત્યાં એક ગોવાળને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપ્યા અને તે જગ્યાએથી બહાર કાઢવા જણવ્યું હતું. જે બાદ તે સ્થાને ખોદકામ કરતા શિવલિંગ નીકળ્યું હતું. શિવલિંગ નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવવા લાગ્યા હતા. જે બાદ એક નાનકડું મંદિર બનાવી શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગ આજે પણ મંદિરમાં મોજૂદ છે.

2010માં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું

સમય જતા અહીં મંદિરના ટ્રસ્ટ દ્વારા સને 2010માં નાની ડેરીમાંથી ભવ્ય મંદિર બનાવી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. જેનો શનિવારના રોજ 11મો પાટોત્સવ હતો. જોકે, સાંપ્રત સમયમાં કોરોના મહામારીને કારણે ટ્રસ્ટ દ્વારા સાદગીથી પાટોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી માંથી ઉગારવા માટે પ્રાર્થના કરવામાં આવ્યું

શનિવારની વહેલી સવારે મંદિરના મુખ્ય પૂજારી એવા મેહુલગીરી ગોસ્વામી તેમજ ટ્રસ્ટ મંડળ દ્વારા તૈયારી કરવામાં આવી હતી અને ભુદેવોની હાજરીમાં યજમાન દ્વારા કથા, પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજામાં કોરોના મહામારી જલ્દી સમાપ્ત થાય અને સૌ સુખી થાય તે માટે મહાદેવ કેદારદાદાને પ્રાર્થના કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.