ETV Bharat / state

સુરત મનપાએ લગ્ન સ્થળે ધન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી

author img

By

Published : Nov 30, 2020, 9:32 PM IST

કોરોના ફેઝ 2માં સતત કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. આ વચ્ચે લગ્ન સિઝન શરૂ થતાં તંત્ર પણ એલર્ટ થયું છે. જેથી સુરત મહાનગરપાલિકાએ લગ્ન સ્થળે ઘન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી છે. એટલે હવે લગ્ન સ્થળે મહેમાનો કોવિડ ટેસ્ટ કરવી શકશે.

surat
સુરત
  • સંક્રમણ ન ફેલાય તે માટે પાલિકાનો અનોખો પ્રયાસ
  • પાલિકાએ લગ્નસ્થળ પર આપી ધન્વંતરી રથની સુવિધા
  • દવાની જરૂર હોય તો આપશે નિઃશુલ્ક દવા

સુરત : મહાનગરપાલિકાએ લગ્ન પ્રસંગમાં કોરોનાના લક્ષણ વિના આવતાં લોકોના ટેસ્ટ કરાવી શકાય તે માટે ધન્વંતરી રથની સુવિધા આપવા માટેની તૈયારી બતાવી છે. આ સુવિધા કોરોના ફેઝ 2માં લોકોને મળી રહે એ હેતુસર શરૂ કરવામાં આવી છે. કારણ કે, હાલ જ લગ્ન સિઝન શરૂ થઇ છે. કોરોના ગાઈડલાઈન મુજબ આમ તો પ્રસંગ માં 100 જેટલા મહેમાનો ભેગા થઈ શકે. પરંતુ લગ્નમાં અનેક લોકો સોશિયલ ડિસ્ટનસિંગ રાખતા નથી અને માસ્ક પહેરતા નથી. સુરતમાં લગ્ન પ્રસંગ થઈ રહ્યાં છે ત્યારે લગ્નમાં ભેગા થયેલા લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે પાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે.

સુરત મનપાએ લગ્ન સ્થળે ઘન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી
લગ્ન સ્થળે જ પાલિકા ધન્વંતરી રથની સુવિધા આપશેહાલ શરૂ થયેલી લગ્ન સિઝનમાં લગ્નનું આયોજન થઈ રહ્યું છે. જો વર કે, વધુ પક્ષને લગ્ન પ્રસંગમાં ભેગા થતાં લોકોનું ટેસ્ટીંગ કરાવવું હોય તો પાલિકાએ સ્થળ ઉપર ધન્વંતરી રથ મોકલવા માટેની તૈયારી બતાવી છે. આ અંગે સુરત મહાનગર પાલિકાના મ્યુનિસપિલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, પાલિકાએ લગ્નના આયોજન કરનારાઓને અપીલ કરી છે કે, લગ્નપ્રસંગમાં આવતાં મહેમાનોને જો શરદી-ખાંસી કે, અન્ય કોઈ લક્ષણ જણાય અથવા કોઈ પોતોનો કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છતું હોય તેવા લોકોને ત્યાં લગ્ન સ્થળે જ પાલિકા ધન્વંતરી રથની સુવિધા આપશે. આ સાથે જો દવાની પણ જરૂર હોય તો નિઃશુલ્ક દવા આપવામાં આવશે.

  • સંક્રમણ ન ફેલાય તે માટે પાલિકાનો અનોખો પ્રયાસ
  • પાલિકાએ લગ્નસ્થળ પર આપી ધન્વંતરી રથની સુવિધા
  • દવાની જરૂર હોય તો આપશે નિઃશુલ્ક દવા

સુરત : મહાનગરપાલિકાએ લગ્ન પ્રસંગમાં કોરોનાના લક્ષણ વિના આવતાં લોકોના ટેસ્ટ કરાવી શકાય તે માટે ધન્વંતરી રથની સુવિધા આપવા માટેની તૈયારી બતાવી છે. આ સુવિધા કોરોના ફેઝ 2માં લોકોને મળી રહે એ હેતુસર શરૂ કરવામાં આવી છે. કારણ કે, હાલ જ લગ્ન સિઝન શરૂ થઇ છે. કોરોના ગાઈડલાઈન મુજબ આમ તો પ્રસંગ માં 100 જેટલા મહેમાનો ભેગા થઈ શકે. પરંતુ લગ્નમાં અનેક લોકો સોશિયલ ડિસ્ટનસિંગ રાખતા નથી અને માસ્ક પહેરતા નથી. સુરતમાં લગ્ન પ્રસંગ થઈ રહ્યાં છે ત્યારે લગ્નમાં ભેગા થયેલા લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે પાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે.

સુરત મનપાએ લગ્ન સ્થળે ઘન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી
લગ્ન સ્થળે જ પાલિકા ધન્વંતરી રથની સુવિધા આપશેહાલ શરૂ થયેલી લગ્ન સિઝનમાં લગ્નનું આયોજન થઈ રહ્યું છે. જો વર કે, વધુ પક્ષને લગ્ન પ્રસંગમાં ભેગા થતાં લોકોનું ટેસ્ટીંગ કરાવવું હોય તો પાલિકાએ સ્થળ ઉપર ધન્વંતરી રથ મોકલવા માટેની તૈયારી બતાવી છે. આ અંગે સુરત મહાનગર પાલિકાના મ્યુનિસપિલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, પાલિકાએ લગ્નના આયોજન કરનારાઓને અપીલ કરી છે કે, લગ્નપ્રસંગમાં આવતાં મહેમાનોને જો શરદી-ખાંસી કે, અન્ય કોઈ લક્ષણ જણાય અથવા કોઈ પોતોનો કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છતું હોય તેવા લોકોને ત્યાં લગ્ન સ્થળે જ પાલિકા ધન્વંતરી રથની સુવિધા આપશે. આ સાથે જો દવાની પણ જરૂર હોય તો નિઃશુલ્ક દવા આપવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.