સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચાલી રહેલા કન્ટ્રક્શનનું કામ ચાલતું હતું. 26 વર્ષીય રફીક અહેનુંલહક આલમ જેઓ કામ કરી રહ્યા હતા. અચાનક ઉપરથી સળીયો નીચે પડતા તેમના પીઠના પાછળના ભાગે ઘુસી ગયો હતો. આ જોતા જ અન્ય કામદારો દોડતા થઈ ગયા હતા અને તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
![સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કામદારના પીઠ ઉપર સળીયો ઘુસી ગયો,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17868316_03.jpg)
X-ray રિપોર્ટ: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે સાંજે સાઢા ચાર વાગ્યે હોસ્પિટલના ટ્રોમાં સેંટર ઉપર એક પેશન્ટને લાવવામાં આવ્યો હતો. જે પેસન્ટના પીઠના ભાગે એટલેકે ગાર્ડનના થોડા નીચે ઉપર પીઠના ભાગે સળીયો ઘૂસી ગયો હતો. જેમની અમે સારવાર કરી રહ્યા છીએ.
પેશન્ટ સારવાર હેઠળ: સળિયો ઘુસી જતા કિડનીને પ્રોબ્લેમ હોઈ શકે છે. તેમના સાથે મિત્રો દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા અમે તેમને કહ્યું કે અહીં હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. તેઓનું સહી સલામત ઓપરેશન દેવામાં આવશે પરંતુ તેઓએ કે અમે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માંગે છે જેથી અમે તેમને રજા આપી દીધી છે. આ મામલે એમએલસી કેસ નોંધવામાં આવ્યું છે એટલે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
![વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17868316_01.jpg)
આ પણ વાંચો Navsari Crime : ચીખલી બીલીમોરા અનેક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
કામ કરતી વખતે બની દુર્ઘટના: વધુમાં તેમને જણાવ્યું હતું કે, તેમના સાથે આવેલ મિત્ર જણાવ્યું હતું કે અમે બધા અમારી સાઈડ ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે રફીકભાઈ બિલ્ડીંગનો પાયો બનાવી રહ્યા હતા. અચાનક ઉપરથી કોઈક રીતે ઉપરથી સળીયો પડતા તેમના પીઠમાં ઘૂસી ગઈ હતી. સળીયો લગભગ 20 થી 22 ફૂટ લાંબો હશે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈજાગ્રસ્ત થયેલા રફીકને ત્રણથી ચાર લોકો પકડીને બેઠા છે.
આ પણ વાંચો Gujarat News: ગુજરાતમાં વલસાડ ફાર્મા કંપનીમાં થયા ધમાકા, 3ના મૃત્યુ, 2 ઈજાગ્રસ્ત
હાથમાંથી અચાનક સળીયો સરખી જતા બની દુર્ઘટના: આ બાબતે ઇજાગ્રસ્ત થયેલા રફીક આલમનો નાનો ભાઈ રિજઉલ આલમએ જણાવ્યું હતું કે, ઘટના બપોરે સાડા ત્રણ વાગ્યે બની હતી. જાહગીરપુરા વિસ્તારમાં આવેલ વૈષ્ણોદેવી હાઈટની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું છે. અમે લોકો ત્યાં જ કામ કરીએ છીએ. આજે બાપરે એક છોકરાના હાથમાંથી અચાનક સળીયો સરખી જતા આ ઘટના બની હતી.