ETV Bharat / state

સુરતના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતતા અર્થે રેલી યોજાઈ - Gujarati story

સુરતઃ સુરતમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતિ લાવવા રેલી યોજાઇ હતી. જેમાં તેરાપંથ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ રેલી દ્વારા નશાનો શિકાર બનેલા લોકોને નાશામુક્તિનો સંદેશો આપ્યો હતો. સાથે અહિંસા અને વીજળી બચાવો સહિતના નારાથી લોકોને જાગૃત કર્યા હતા.

સુરતના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતતા અર્થે રેલી યોજાઇ
author img

By

Published : May 17, 2019, 2:18 PM IST

સુરતમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના આચાર્ય મહાશ્રમનો 46મો દીક્ષા દિવસ હતો. જે અંતર્ગત સુરતમાં રેલીનું આયોજન કરાયું હતું. જેમાં નશામુક્તિના સંદેશા સાથે વીજળી બચાવો અને અહિંસાના નારા લગાવવામાં આવ્યા હતા. આ રેલી સુરતના વેસુ વિસ્તારથી નીકળી ઉધના, લીંબાયત, પર્વત પાટીયા જેવા વિસ્તારોમાંથી પસાર થઇ હતી. જેમાં 300 જેટલા તેરાપંથ સમાજના લોકોએ ભાગ લીધો હતો.

સુરતના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતતા અર્થે રેલી યોજાઇ

આ રેલીમાં યુવાઓ બાઇક દ્વારા, તો મહિલાઓ અને બાળકો ચાલતાં જોડાયા હતા. નશામુક્તિના સંદેશા માટે લોકોને પ્લે-કાર્ડ અપાતું હતું. સાથે તેના ગેરલાભો ગણાવી તેના વિશે લોકોને જાગ્રત કરવાના પ્રયાસો પણ કરાયા હતા.

સુરતમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના આચાર્ય મહાશ્રમનો 46મો દીક્ષા દિવસ હતો. જે અંતર્ગત સુરતમાં રેલીનું આયોજન કરાયું હતું. જેમાં નશામુક્તિના સંદેશા સાથે વીજળી બચાવો અને અહિંસાના નારા લગાવવામાં આવ્યા હતા. આ રેલી સુરતના વેસુ વિસ્તારથી નીકળી ઉધના, લીંબાયત, પર્વત પાટીયા જેવા વિસ્તારોમાંથી પસાર થઇ હતી. જેમાં 300 જેટલા તેરાપંથ સમાજના લોકોએ ભાગ લીધો હતો.

સુરતના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા લોકજાગૃતતા અર્થે રેલી યોજાઇ

આ રેલીમાં યુવાઓ બાઇક દ્વારા, તો મહિલાઓ અને બાળકો ચાલતાં જોડાયા હતા. નશામુક્તિના સંદેશા માટે લોકોને પ્લે-કાર્ડ અપાતું હતું. સાથે તેના ગેરલાભો ગણાવી તેના વિશે લોકોને જાગ્રત કરવાના પ્રયાસો પણ કરાયા હતા.

Intro:
સુરત : સમાજને નશામુક્ત નો સંદેશો પહોંચાડવા માટે સુરતમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા એક રેલીના આયોજન થકી આ એક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આજે આચાર્યશ્રી મહાશ્રમન નો 46 મો દીક્ષા દિવસ છે અને આ દિવસને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા યુવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.સમાજમાં નશા તરફ વળી રહેલા યુવાઓને નશામુક્ત અને ધાર્મિકતા  ના માર્ગ પર લાવવા માટેની આ એક પહેલ કરવામાં આવી રહી છે.રેલીમાં મહિલા અને બાળકો દ્વારા હાથમાં પ્લેકાર્ડ લઇ અલગ અલગ લોકસંદેશા પણ પાઠવવામાં આવ્યા હતા.જ્યાં " વીજળી બચાવ ભવિષ્ય બચાવ તેમજ નશાના દલદલ માં ધકેલાયેલા માનવઅર્થી ની ઓન પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી.





Body:આજનો યુવા નશા તરફ વધુ જઈ રહ્યો છે અને પોતાનું અમૂલ્ય જીવન નશાના દળદલ માં વ્યય કરી રહ્યો છે.ત્યારે આવા યુવાઓને નશામુક્ત કરવા અને સમાજને એક સંદેશો પોહચાડવા સુરત અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આચાર્ય શ્રી મહાશ્રમન ના 46 માં દીક્ષા દિવસ ની ઉપલક્ષી માં આજે યુવા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.ત્યારે આ યુવા દિવસ ના અનુસંધાનમાં સુરત ના વેસુ વિસ્તારમાંથી અહિંસા રેલી નું આયોજન કરાયું હતું.આ રેલીમાં તેરાપંથ સમાજના નાના બાળકો થી લઈ મહિલાઓ અને યુવાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.રેલીમાં યુવાઓ મોટર સાયકલ પર સવાર જોવા મળ્યા હતા.જ્યારે નાના બાળકોઓએ સ્કેટિંગ પર જ  પગપાળા રેલીમાં જોડાઈ હાથમાં પ્લે- કાર્ડ ઠકી નશામુક્તિ નો સંદેશો સમાજમાં પોહચડવાનો પ્રયાસ કર્યો હતો. નશા થી થતા ગેરલાભો અને માનવઅર્થી ની  પ્રતિકૃતિ પણ રેલીમાં રજૂ કરવામાં આવી હતી.


Conclusion:સુરત ના વેસુ વિસ્તારમાંથી નીકળેલી રેલીમાં  આશરે 300 જેટલા લોકો જોડાયા હતા.જે રેલી ઉધના,લીંબાયત,પર્વત પાટિયા જેવા વિસ્તારમાં પરિભ્રમણ કરી લોકો સુધી એક સંદેશો પણ પોહચડવાનો પ્રયાસ કરશે.



બાઈટ : શુશીલ કુમાર( અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ સભ્ય)


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.