સુરત: શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજ- વસ્તુઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે. પરંતુ ક્યાંક તમે એવું જોયું છે, કે ભગવાન શિવને જીવતા કરચલા ચઢાવવામાં આવતા હોય! જી હા, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે. જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે. શું છે આ મંદિરનું માહાત્મ્ય અને શા માટે ભક્તો અહીં ચઢાવે છે જીવિત કરચલા?
![રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતાં કરચલાંથી અભિષેક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17516845_update.jpg)
પોષ એકાદશીનો જાહેર મેળો: સુરતના ઉમરા વિસ્તારમાં પોષ એકાદશીનો જાહેર મેળો ભરાયો છે. દર વર્ષની જેમ અહીં પોષ એકાદશીના મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં અહીં આવેલ રામનાથ-ઘેલા મંદિરનું ઘણું મહત્વ આંકવામાં આવે છે. રામનાથ-ઘેલા મંદિર જે હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમ્યાન અહીં રોકાયા હતા. જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા. જે બાદ ભગવાન રામએ અહીં પિતાની તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો. તર્પણવિધિ દરમ્યાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવ ને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિન્નતી કરી હતી.
![પોષ એકાદશીના પર્વે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પોતાની માનતા મુકવા આવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17516845_02.jpg)
શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા: જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને પૂજા કરી. દરમ્યાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનું ઉધાર કરવા વિન્નતી કરી હતી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા. ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આ તપોવણભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે માહાત્મ્ય આંકવામાં આવે છે. જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે.
આ પણ વાંચો Magh month 2023 : જાણે અજાણે થયેલા પાપોના નાશ માટે માઘ સ્નાનનું વિશેષ મહત્વ
આશ્ચર્યની બાબત: સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું આ મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું અહીંના મહંતનું કહેવું છે. મહિલા મહંત સોનલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અહીં દર વર્ષેની પોષ એકાદશીના પર્વે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પોતાની માનતા મુકવા આવે છે.બીજા વર્ષે કાન ના રોગો થી મુક્તિ મળતા ભક્તો ભગવાન શિવના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે.જે સૌ કોઈ માટે આશ્ચર્યની બાબત ગણી શકાય છે.
આ પણ વાંચો Sparsh mahostav: જાણો જૈન સાધુ-સાધ્વીના જીવન વિશે
માનતા પૂરી થાય એની મનોકામના: મંદિરમાં આજના દિવસે એ લોકો દર્શન કરવા આવતા હોય છે જેઓ શારીરિક રૂપથી કોઈ ને કોઈ બીમારીથી પીડિત હોય. જોકે આમાં ખાસ એવા લોકો હોય છે જે કાનની બીમારીથી વધુ પીડાતા વધુ હોય છે. આજના દિવસે શિવલિંગ પર કરચલાં એવા લોકો ચડાવતા હોય છે જેમની મનોકામના પૂરી થઇ હોય અને કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય એની મનત માગવા આવતા હોય છે.
![માનતા પૂરી થાય એની મનોકામના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17516845_03.jpg)