ETV Bharat / state

ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કમિશ્નરના કડક આદેશ, તપાસ બાદ ડિમોલિશન પ્રક્રિયા થશે

સુરત: શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા અંગે કમિશ્નર દ્વારા તાકીદ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગેર કાયદસેર બાંધકામ વધવાની ફરિયાદો વધી રહી છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખના અંગત ગણાતા તેમજ ભાજપ કાર્યકર દ્વારા તાણી દેવામાં આવેલા ગેરકાયદે શોપિંગ કોમ્પ્લેક્ષ સામે સુરત મહાનગરપાલિકા કમિશ્નરે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા હતા. બે દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા પાલિકા કમિશ્નરે હુકમ કર્યો હતો. રિપોર્ટ બાદ સમય મર્યાદામાં બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે.

author img

By

Published : Jul 25, 2019, 11:03 AM IST

ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કમીશ્નરના કડક આદેશ

સુરતના ભાગતલાવ વિસ્તારમાં આવેલા ધરમ કૃતિ શોપિંગ કોમ્પ્લેક્ષ,જે કોમ્પલેક્ષ ગેરકાયદેસર હોવાની ફરિયાદ મનપા કમિશ્નરને મળી હતી, જે બાદ વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એક વર્ષ અગાઉ શહેર ભાજપ પ્રમુખના અંગત ગણાતા અને ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા સંજય દલાલ સહિત તેના ભાગીદારો દ્વારા રાજકીય વગનો ગેરલાભ ઉઠાવી આ ગેરકાયદે શોપિંગ કોમ્પ્લેક્ષ ઉભું કરવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કમિશ્નરના કડક આદેશ

સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા રેસિડેન્ટનો પ્લાન મૂકી કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યું હતું.જ્યાં જે તે સમયે પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું.જો કે બાદમાં ભાજપના કાર્યકર સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા જાતે ગેરકાયદેસર બાંધકામ ઉતારી દેવાની બાંહેધરી આપી હતી.પરંતુ બાદમાં રાજકીય વગ અને પાલિકા અધિકારીઓની સાંઠગાંઠમાં ફરી રેસિડેન્ટના બદલે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું ગેરકાયદેસર શોપિંગ ઉભું કરાયું હતું.

આ અંગે સુરત મહાનગરપાલિકા કમિશ્નર એમ.થેનારાશનને ફરિયાદ મળતા તાત્કાલિક શોપિંગ કોમ્પ્લેક્ષને શીલ કરી વિજિલન્સ તપાસ બેસાડવામાં આવી હતી.જે રિપોર્ટ બે દિવસની અંદર સોંપવા આદેશ કરાયો હતો.રિપોર્ટ આવ્યા બાદ જે તે સમયના પાલિકા અધિકારીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

પાલિકા કમિશનરના જણાવ્યાનુસાર હાલ બાંધકામને શીલ કરી નોટિસ ફટકારવામાં આવી છે.સમય મર્યાદામાં બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે.વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

સુરતના ભાગતલાવ વિસ્તારમાં આવેલા ધરમ કૃતિ શોપિંગ કોમ્પ્લેક્ષ,જે કોમ્પલેક્ષ ગેરકાયદેસર હોવાની ફરિયાદ મનપા કમિશ્નરને મળી હતી, જે બાદ વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એક વર્ષ અગાઉ શહેર ભાજપ પ્રમુખના અંગત ગણાતા અને ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા સંજય દલાલ સહિત તેના ભાગીદારો દ્વારા રાજકીય વગનો ગેરલાભ ઉઠાવી આ ગેરકાયદે શોપિંગ કોમ્પ્લેક્ષ ઉભું કરવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કમિશ્નરના કડક આદેશ

સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા રેસિડેન્ટનો પ્લાન મૂકી કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યું હતું.જ્યાં જે તે સમયે પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું.જો કે બાદમાં ભાજપના કાર્યકર સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા જાતે ગેરકાયદેસર બાંધકામ ઉતારી દેવાની બાંહેધરી આપી હતી.પરંતુ બાદમાં રાજકીય વગ અને પાલિકા અધિકારીઓની સાંઠગાંઠમાં ફરી રેસિડેન્ટના બદલે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું ગેરકાયદેસર શોપિંગ ઉભું કરાયું હતું.

આ અંગે સુરત મહાનગરપાલિકા કમિશ્નર એમ.થેનારાશનને ફરિયાદ મળતા તાત્કાલિક શોપિંગ કોમ્પ્લેક્ષને શીલ કરી વિજિલન્સ તપાસ બેસાડવામાં આવી હતી.જે રિપોર્ટ બે દિવસની અંદર સોંપવા આદેશ કરાયો હતો.રિપોર્ટ આવ્યા બાદ જે તે સમયના પાલિકા અધિકારીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

પાલિકા કમિશનરના જણાવ્યાનુસાર હાલ બાંધકામને શીલ કરી નોટિસ ફટકારવામાં આવી છે.સમય મર્યાદામાં બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે.વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Intro:સુરત :રાજકીય વગ ધરાવતા અને  શહેર ભાજપ પ્રમુખ ના અંગત ગણાતા તેમજ ભાજપી કાર્યકર દ્વારા તાણી દેવામાં આવેલ ગેરકાયદે શોપિંગ કોમ્પ્લેક્ષ સામે સુરત મહાનગરપાલિકા કમિશનરે વિજિલન્સ તપાસ ના આદેશ આપ્યા છે.બે દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા પાલિકા કમિશનરે આ હુકમ કર્યો છે.એટલુ જ નહીં પરંતુ જે તે સમયે ઉભા કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ માં જવાબદાર અધિકારીની  ફરજ નક્કી કરવામાં આવશે..

Body:સુરત ના ભાગતલાવ વિસ્તારમાં આવેલ આ છે  ધરમ - કૃતિ શોપિંગ કોમ્પ્લેક્ષ..જે કોમ્પલેક્ષ ગેરકાયદે હોવાની ફરિયાદ મનપા કમિશનર ને મળતા વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક વર્ષ અગાઉ શહેર ભાજપ પ્રમુખ ના અંગત ગણાતા અને ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા સંજય દલાલ સહિત તેના ભાગીદારો દ્વારા રાજકીય વગનો ગેરલાભ ઉઠાવી આ ગેરકાયદે શોપિંગ કોમ્પ્લેક્ષ ઉભું કરવામાં આવ્યું.

સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા રેસિડેન્સ નો પ્લાન મૂકી કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યું હતું.જ્યાં જે તે સમયે પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા નામ પૂરતું દિમોલિશન પણ કરવામાં આવ્યું હતું.જો કે બાદમાં ભાજપના કાર્યકર સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા જાતે ગેરકાયદે બાંધકામ ઉતારી દેવાની બાંહેધરી આપતા પાલિકા તરફથી રજ્જાચિઠ્ઠી ફાળવી દેવાઈ હતી.પરંતુ બાદમાં રાજકીય વગ અને પાલિકા અધિકારીઓ ની સાંઠગાંઠ માં ફરી રેસિડેન્ટ્સ ના બદલે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું ગેરકાયદે શોપિંગ ઉભું કરી દેવાયું...આ અંગે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ.થેનારાશન ને ફરિયાદ મળતા તાત્કાલિક શોપિંગ કોમ્પ્લેક્ષ ને શીલ કરી  વિજિલન્સ તપાસ બેસાડવામાં આવી છે.જે રિપોર્ટ બે દિવસની અંદર સોંપવા આદેશ કરાયો છે.રિપોર્ટ આવ્યા બાદ જે તે સમયના પાલિકા અધિકારી ની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે..જો કે સવાલ  એ થાય કે હમણાં સુધી સુરત મનપા ના કમીશનર અને પાલિકા અધિકારીઓએ આંખે પાટા બાંધી ગેરકાયદે બાંધકામ ને છુટ્ટો દૌર આપ્યો હતો કે કેમ તે સવાલ અહીં ઉદ્દભવી રહ્યો છે...



Conclusion:સુરત ના ભાગા- તળાવ વિસ્તારમાં ભાજપી કાર્યકર અને રાજકીય વગ ધરાવતું સંજય દલાલ સહિત તેના ભાગીદારો દ્વારા  રેસિડેન્સ પ્લાન ની સામે ઠોકી બેસાડવામાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્ષ ને હમણાં સુધી શા માટે છાવરવામાં આવ્યું ? શુ ફરિયાદ મળ્યા બાદ જ પાલિકા આ રીતે કામગીરી કરતી રહેશે અને ગેરકાયદે બાંધકામ કરનારા લોકોને છાવરતી રહેશે તે એક સવાલ ઉઠી રહ્યો છે.પાલિકા કમિશનર ના જણાવ્યાનુસાર હાલ બાંધકામ ને શીલ કરી નોટિસ પાઠવવામાં આવી છે.સમય મર્યાદા માં બાંધકામ નું દિમોલિશન કરવામાં આવશે..વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે...મનપા કમિશનર ભલે કાર્યવાહી રાગ આલાપી રહ્યા હોય ,પરંતુ રાજકીય વગ ધરાવતા સંજય દલાલ ના ગેરકાયદે બાંધકામ પર દિમોલિશન ના હથોડો ઝીંકાશે કે કેમ તે આગામી દિવસોમાં જોવુ રહ્યું....


બાઈટ : એમ.થેનારાશન ( સુરત મનપા કમિશનર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.