ETV Bharat / state

જડીબૂટ્ટીઓનું અદભૂત જ્ઞાન ધરાવતાં વૈદુભગતો માટે જયશ્રી બાબરીયાની અણમોલી મદદ

'નારી તું નારાયણી' આ વાક્યને જયશ્રી બાબરીયા સાર્થક કરે છે. તેમણે સમગ્ર જીવન એવા લોકોને સમર્પિત કર્યું છે જેઓની પ્રતિભાને દુનિયા ઓળખતી પણ નથી. વૈદુભગતોનું સશક્તિકરણ કરનાર જયશ્રીબહેન આયુર્વેદિક મેળાનું એવું આયોજન કરે છે કે વૈદુભગતોની રોજગારી લાખોના આંકડામાં આંબે છે.

author img

By

Published : Mar 6, 2020, 2:53 PM IST

જડીબૂટ્ટીઓનું અદભૂત જ્ઞાન ધરાવતાં વૈદુભગતો માટે જયશ્રી બાબરીયાની અણમોલી મદદ
જડીબૂટ્ટીઓનું અદભૂત જ્ઞાન ધરાવતાં વૈદુભગતો માટે જયશ્રી બાબરીયાની અણમોલી મદદ

સુરત : જયશ્રીબહેન બાબરીયા પોતે આદિવાસી સમાજના નથી, પરંતુ આદિવાસી સમાજના લોકોનું ધ્યાન કરવા માટે તેઓ તત્પર છે. અંતરાળ વિસ્તારમાં રહેતા વૈદુભગતોને નવી ઓળખ આપવા માટે તેમણે જીવન સમર્પિત કરી દીધું છે. મૂળ ભાવનગરના જયશ્રીબહેન દ્વારા સૂરતમાં આયોજિત આયુર્વેદિક મેળામાં 120 વૈદુભગતોએ ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં લોકો વૈદુભગતોની પ્રતિભાથી અવગત થયા અને વૈદુભગતોને લાખોની આવક થઇ. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મંજૂલાબહેને જણાવ્યું હતું કે તેઓ દિવસના સો રૂપિયા પણ કમાઈ શકતાં નહોતાં, પરંતુ આ મેળાના કારણે તેઓની આવક બમણી થઇ છે અને રોજગારીની નવી તકો મળી છે.

જડીબૂટ્ટીઓનું અદભૂત જ્ઞાન ધરાવતાં વૈદુભગતો માટે જયશ્રી બાબરીયાની અણમોલી મદદ
આ તમામ વૈદુભગતોની અને તેમની પ્રતિભા લોકો જાણે આ માટે જયશ્રીબહેને ગુજરાતભરમાં ડોર ટુ ડોર જઈને જાણકારી એકઠી કરી હતી. જેમાં જાણવા મળ્યું કે 350 જેટલા આવા વૈદુભગતો છે જેઓને હજારથી વધુ જડીબુટ્ટીઓ અને વનસ્પતિઓનું અદભૂત જ્ઞાન છે, પરંતુ આંતરિયાળ વિસ્તારમાં રહેવાના કારણે આ જ્ઞાન વ્યર્થ થઈ જતું હતું. તેમની પ્રતિભાની જાણકારી શહેરી લોકોને નથી. જેથી જયશ્રીબહેન વિચાર્યું કે જડીબુટ્ટી અને વનસ્પતિઓનું સંપન્ન જ્ઞાન ધરાવતાં વૈદુભગતોને એક પ્લેટફોર્મ આપવામાં આવેે જેથી લોકો આયુર્વેદ પ્રત્યે જાગૃત પણ થાય અને આ વૈદુભગતો એક ઓળખની સાથે સાથે આવકનું સાધન મળી રહે.
આ અંગે પછાત મહિલા વિકાસના પ્રમુખ જયશ્રીબહેને જણાવ્યું હતું કે અન્ય ડૉક્ટરો કરતાં આ લોકોના ડીએનએમાં જ વનસ્પતિઓ અને આયુર્વેદની જાણકારી હોય છે. આ લોકો માટે કામ કરવાની ખુશી છે. કારણ કે અગાઉ તેઓ 100થી 500 રૂપિયા પણ કમાઈ શકતાં નહોતાં અને હવે આ પ્રદર્શનોના કારણે તેઓની આવક હજારો અને લાખોમાં થઈ રહી છે. પ્રદર્શન બાદ પણ અન્ય લોકો તેમના સંપર્કમાં હોય છે અને આયુર્વેદિક દવાઓ મગાવે છે. આ અંગે જયશ્રીબહેનનો હેતુ છે કે આયુષ મંત્રાલય દ્વારા આ તમામ વૈદુભગતોને એક ઓથેન્ટિક ઓળખ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે જયશ્રીબહેન એક મહિલા તરીકે અન્ય બેરોજગાર મહિલાઓને પગભર બનાવવાનું અનેરું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. જે સમાજમાં અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ દાખલો બની રહ્યો છે.

સુરત : જયશ્રીબહેન બાબરીયા પોતે આદિવાસી સમાજના નથી, પરંતુ આદિવાસી સમાજના લોકોનું ધ્યાન કરવા માટે તેઓ તત્પર છે. અંતરાળ વિસ્તારમાં રહેતા વૈદુભગતોને નવી ઓળખ આપવા માટે તેમણે જીવન સમર્પિત કરી દીધું છે. મૂળ ભાવનગરના જયશ્રીબહેન દ્વારા સૂરતમાં આયોજિત આયુર્વેદિક મેળામાં 120 વૈદુભગતોએ ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં લોકો વૈદુભગતોની પ્રતિભાથી અવગત થયા અને વૈદુભગતોને લાખોની આવક થઇ. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મંજૂલાબહેને જણાવ્યું હતું કે તેઓ દિવસના સો રૂપિયા પણ કમાઈ શકતાં નહોતાં, પરંતુ આ મેળાના કારણે તેઓની આવક બમણી થઇ છે અને રોજગારીની નવી તકો મળી છે.

જડીબૂટ્ટીઓનું અદભૂત જ્ઞાન ધરાવતાં વૈદુભગતો માટે જયશ્રી બાબરીયાની અણમોલી મદદ
આ તમામ વૈદુભગતોની અને તેમની પ્રતિભા લોકો જાણે આ માટે જયશ્રીબહેને ગુજરાતભરમાં ડોર ટુ ડોર જઈને જાણકારી એકઠી કરી હતી. જેમાં જાણવા મળ્યું કે 350 જેટલા આવા વૈદુભગતો છે જેઓને હજારથી વધુ જડીબુટ્ટીઓ અને વનસ્પતિઓનું અદભૂત જ્ઞાન છે, પરંતુ આંતરિયાળ વિસ્તારમાં રહેવાના કારણે આ જ્ઞાન વ્યર્થ થઈ જતું હતું. તેમની પ્રતિભાની જાણકારી શહેરી લોકોને નથી. જેથી જયશ્રીબહેન વિચાર્યું કે જડીબુટ્ટી અને વનસ્પતિઓનું સંપન્ન જ્ઞાન ધરાવતાં વૈદુભગતોને એક પ્લેટફોર્મ આપવામાં આવેે જેથી લોકો આયુર્વેદ પ્રત્યે જાગૃત પણ થાય અને આ વૈદુભગતો એક ઓળખની સાથે સાથે આવકનું સાધન મળી રહે.
આ અંગે પછાત મહિલા વિકાસના પ્રમુખ જયશ્રીબહેને જણાવ્યું હતું કે અન્ય ડૉક્ટરો કરતાં આ લોકોના ડીએનએમાં જ વનસ્પતિઓ અને આયુર્વેદની જાણકારી હોય છે. આ લોકો માટે કામ કરવાની ખુશી છે. કારણ કે અગાઉ તેઓ 100થી 500 રૂપિયા પણ કમાઈ શકતાં નહોતાં અને હવે આ પ્રદર્શનોના કારણે તેઓની આવક હજારો અને લાખોમાં થઈ રહી છે. પ્રદર્શન બાદ પણ અન્ય લોકો તેમના સંપર્કમાં હોય છે અને આયુર્વેદિક દવાઓ મગાવે છે. આ અંગે જયશ્રીબહેનનો હેતુ છે કે આયુષ મંત્રાલય દ્વારા આ તમામ વૈદુભગતોને એક ઓથેન્ટિક ઓળખ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે જયશ્રીબહેન એક મહિલા તરીકે અન્ય બેરોજગાર મહિલાઓને પગભર બનાવવાનું અનેરું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. જે સમાજમાં અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ દાખલો બની રહ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.