ETV Bharat / state

Samaras gram panchayat election: બારડોલીના ઇશનપોરમાં આઝાદી બાદથી નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી

author img

By

Published : Dec 6, 2021, 1:58 PM IST

બારડોલી તાલુકાની ઇશનપોર ગ્રામ પંચાયતમાં આઝાદી બાદથી સરપંચ અને સભ્યોની ક્યારેય ચૂંટણી(Gram Panchayat Election) થઈ નથી. ગામના લોકો પસંદગીથી જ તેમના પ્રતિનિધિની વરણી કરતા આવ્યા છે. ગ્રામજનો આ માટે તેમના વડવાઓએ શરૂ કરેલી પરંપરા જાળવી રાખવા માંગે છે અને આ વખતે પણ ગામને સમરસ(Samaras gram panchayat election) બનાવી પરંપરા જાળવી છે

Samaras gram panchayat election: બારડોલીના ઇશનપોરમાં આઝાદી બાદથી નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી
Samaras gram panchayat election: બારડોલીના ઇશનપોરમાં આઝાદી બાદથી નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી
  • ગામના લોકો એકત્રિત થઈ સર્વસંમતિથી સરપંચ અને સભ્યોની પસંદગી કરે છે
  • વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે પણ જળવાઈ
  • ગ્રામજનો આનો શ્રેય વડવાઓને આપે છે

બારડોલી : ગ્રામ પંચાયતની ચૂંટણીને(Gram Panchayat Election) લઈને ગ્રામ્ય વિસ્તારમાં માહોલ ગરમાયો છે. નેતાઓ પોતાના ગામામાં ચૂંટણી ટળે અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે છેલ્લે સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બારડોલી તાલુકાનું નાનકડું ઇશનપોર ગામમાં(Samaras Ishanpore Gram Panchayat) ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ એક પણ વખત ચૂંટણી થઈ નથી. ગામના લોકો જ સર્વસંમતિથી સભ્ય અને સરપંચની પસંદગી કરતા આવ્યા છે. આ વખતે પણ ગામમાં તમામ સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટાતા ગ્રામ પંચાયત સમરસ બની છે.

Samaras gram panchayat election: બારડોલીના ઇશનપોરમાં આઝાદી બાદથી નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી

અન્ય ગ્રામપંચાયત માટે પ્રેરણારૂપ

આ નાનકડા ગામમાં મુખ્યત્વે કોળી પટેલ અને હળપતિ સમાજની વસ્તી છે. અંદાજિત 700ની વસ્તી ધરાવતા આ ગામમાં 400 જેટલા મતદાતા છે. ગામમાં આઝાદી બાદ એક પણ વખત ચૂંટણી યોજાઈ નથી. તેનું શ્રેય ગામના નાગરિકોને જાય છે. ગ્રામજનો પરસ્પર વાતચીત કરીને કોઈને મનદુઃખ ન થાય તે રીતે સારા ઉમેદવારોની સરપંચ અને સભ્યો તરીકે વરણી કરે છે અને તેમને ગ્રામજનો માન્ય રાખે છે. વર્ષોથી ચાલી આવેલી ગામના પ્રથમ નાગરિકની વરણીની આ પરંપરા આજે પણ ચાલી આવી છે. ઇશનપોર ગામ અન્ય ગ્રામ પંચાયતો(gram panchayat election in gujarat) માટે પણ પ્રેરણાદાયી બન્યું છે.

2016માં ઉપસરપંચના બે ઉમેદવાર થતા ગામની વચ્ચે મૂકી હતી મતપેટી

વર્ષ 2016માં પણ ઇશનપોર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. પરંતુ ઉપસરપંચના પદ માટે બે ઉમેદવારોએ દાવેદારી કરી હતી. આથી ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા. જો કે અંતે એક રસ્તો કાઢી ગામમાં જ એક મતપેટી મૂકી ગ્રામજનોએ જ બિનસત્તાવાર રીતે મતદાન કરી ઉપસરપંચને પણ ચૂંટી કાઢ્યા હતા. આમ રેકોર્ડ પર ચૂંટણી ટળી હતી.

પરંપરા જળવાય એ માટેના પ્રયાસો રહેશે

ગામના યુવા અગ્રણી વિમલ પટેલે જણાવ્યું હતું કે, અમારું ગામ આઝાદી સમયથી બિનહરીફ થતું આવ્યું છે. આજ સુધી ગ્રામપંચાયતમાં ચૂંટણી થઈ(Gram Panchayat Election 2021) નથી તેનું સંપૂર્ણ શ્રેય અમારા વડવાઓને જાય છે. આ પરંપરા જાળવી રાખવામાં અમારી પેઢી સફળ રહી છે. ભવિષ્યમાં પણ આ પરંપરા જળવાય રહે તે માટે અમારા પ્રયાસો રહેશે.

આ પણ વાંચોઃ Samaras gram panchayat election: ઓલપાડની બલકસ ગ્રામ પંચાયત બની અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણા રૂપ

આ પણ વાંચોઃ સમરસ ગ્રામ પંચાયતોના પ્રોત્સાહનમાં વધારો: બ્રિજેશ મેરજા

  • ગામના લોકો એકત્રિત થઈ સર્વસંમતિથી સરપંચ અને સભ્યોની પસંદગી કરે છે
  • વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે પણ જળવાઈ
  • ગ્રામજનો આનો શ્રેય વડવાઓને આપે છે

બારડોલી : ગ્રામ પંચાયતની ચૂંટણીને(Gram Panchayat Election) લઈને ગ્રામ્ય વિસ્તારમાં માહોલ ગરમાયો છે. નેતાઓ પોતાના ગામામાં ચૂંટણી ટળે અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે છેલ્લે સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બારડોલી તાલુકાનું નાનકડું ઇશનપોર ગામમાં(Samaras Ishanpore Gram Panchayat) ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ એક પણ વખત ચૂંટણી થઈ નથી. ગામના લોકો જ સર્વસંમતિથી સભ્ય અને સરપંચની પસંદગી કરતા આવ્યા છે. આ વખતે પણ ગામમાં તમામ સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટાતા ગ્રામ પંચાયત સમરસ બની છે.

Samaras gram panchayat election: બારડોલીના ઇશનપોરમાં આઝાદી બાદથી નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી

અન્ય ગ્રામપંચાયત માટે પ્રેરણારૂપ

આ નાનકડા ગામમાં મુખ્યત્વે કોળી પટેલ અને હળપતિ સમાજની વસ્તી છે. અંદાજિત 700ની વસ્તી ધરાવતા આ ગામમાં 400 જેટલા મતદાતા છે. ગામમાં આઝાદી બાદ એક પણ વખત ચૂંટણી યોજાઈ નથી. તેનું શ્રેય ગામના નાગરિકોને જાય છે. ગ્રામજનો પરસ્પર વાતચીત કરીને કોઈને મનદુઃખ ન થાય તે રીતે સારા ઉમેદવારોની સરપંચ અને સભ્યો તરીકે વરણી કરે છે અને તેમને ગ્રામજનો માન્ય રાખે છે. વર્ષોથી ચાલી આવેલી ગામના પ્રથમ નાગરિકની વરણીની આ પરંપરા આજે પણ ચાલી આવી છે. ઇશનપોર ગામ અન્ય ગ્રામ પંચાયતો(gram panchayat election in gujarat) માટે પણ પ્રેરણાદાયી બન્યું છે.

2016માં ઉપસરપંચના બે ઉમેદવાર થતા ગામની વચ્ચે મૂકી હતી મતપેટી

વર્ષ 2016માં પણ ઇશનપોર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. પરંતુ ઉપસરપંચના પદ માટે બે ઉમેદવારોએ દાવેદારી કરી હતી. આથી ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા. જો કે અંતે એક રસ્તો કાઢી ગામમાં જ એક મતપેટી મૂકી ગ્રામજનોએ જ બિનસત્તાવાર રીતે મતદાન કરી ઉપસરપંચને પણ ચૂંટી કાઢ્યા હતા. આમ રેકોર્ડ પર ચૂંટણી ટળી હતી.

પરંપરા જળવાય એ માટેના પ્રયાસો રહેશે

ગામના યુવા અગ્રણી વિમલ પટેલે જણાવ્યું હતું કે, અમારું ગામ આઝાદી સમયથી બિનહરીફ થતું આવ્યું છે. આજ સુધી ગ્રામપંચાયતમાં ચૂંટણી થઈ(Gram Panchayat Election 2021) નથી તેનું સંપૂર્ણ શ્રેય અમારા વડવાઓને જાય છે. આ પરંપરા જાળવી રાખવામાં અમારી પેઢી સફળ રહી છે. ભવિષ્યમાં પણ આ પરંપરા જળવાય રહે તે માટે અમારા પ્રયાસો રહેશે.

આ પણ વાંચોઃ Samaras gram panchayat election: ઓલપાડની બલકસ ગ્રામ પંચાયત બની અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણા રૂપ

આ પણ વાંચોઃ સમરસ ગ્રામ પંચાયતોના પ્રોત્સાહનમાં વધારો: બ્રિજેશ મેરજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.