ETV Bharat / state

સુરત અગ્નિકાંડની તપાસ મામલે પોલીસ કમિશ્નર રિપોર્ટ રજૂ કરે :હાઈકોર્ટ - Taxshila coaching centre

સુરત: સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચીંગ સેન્ટરમાં આગની દુર્ઘટના મુદ્દે તપાસ CID ક્રાઇમને સોંપવાની માંગ કરતી રિટ કરવામાં આવી છે. આ મુદ્દે જસ્ટીસ એસ. એચ. વોરાએ સુરત પોલીસ કમિશ્નર અને રાજ્ય સરકારને નોટીસ પાઠવીને શું પગલા લેવામાં આવ્યા છે તેનો પ્રોગેસિવ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 26મી જૂને હાથ ધરવામાં આવશે.

HC
author img

By

Published : Jun 12, 2019, 7:32 PM IST

અગ્નિકાંડમાં ભોગ બનનારી કરિશ્મા ગજેરાના પિતા જયસુખલાલ ગજેરાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા માગ કરી હતી કે, આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. આ મુદ્દે સુરત પોલીસે તક્ષશિલા આર્કેડના બિલ્ડર હસમુખ વેકરીયા, જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

અરજદારનો આક્ષેપ છે કે, આગની ઘટના બાદ પણ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યા ન હતા. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરુણાંતિકા સર્જાઇ હતી. જવાબદાર લોકો વિરૂધ્ધ આકરા પગલા ના લેવાયા હોવાથી સુરત પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કાંઈ પરિણામ ન આવતા ગુજરાત હાઇકોર્ટમાં કેસની તપાસ CIDને સોંપવા રિટ દાખલ કરવામાં આવી હતી.

અગ્નિકાંડમાં ભોગ બનનારી કરિશ્મા ગજેરાના પિતા જયસુખલાલ ગજેરાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા માગ કરી હતી કે, આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. આ મુદ્દે સુરત પોલીસે તક્ષશિલા આર્કેડના બિલ્ડર હસમુખ વેકરીયા, જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

અરજદારનો આક્ષેપ છે કે, આગની ઘટના બાદ પણ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યા ન હતા. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરુણાંતિકા સર્જાઇ હતી. જવાબદાર લોકો વિરૂધ્ધ આકરા પગલા ના લેવાયા હોવાથી સુરત પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કાંઈ પરિણામ ન આવતા ગુજરાત હાઇકોર્ટમાં કેસની તપાસ CIDને સોંપવા રિટ દાખલ કરવામાં આવી હતી.

R_GJ_AHD_07_12_JUNE_2019_SURAT_AGNIKAND_SHU_PAGLA_LIDHA_MUDE_POLICE_COMMISIONER_REPORT_RAJU_KARE_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD



હેડિંગ - સુરત અગ્નિકાંડની તપાસમાં શુ પગલા લેવાયા મુદે  પોલીસ કમિશ્નર રિપોર્ટ રજુ કરે - હાઈકોર્ટ


સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચીંગ સેન્ટરમાં આગની દુર્ઘટના મુદ્દે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાની માંગ કરતી રિટ મુદે જસ્ટીસ એસ.એચ. વોરાએ સુરત પોલીસ કમિશ્નર અને રાજ્ય સરકારને નોટીસ પાઠવી શુ પગલા લેવામાં આવ્યો છે તેની પ્રોગેસિવ રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો છે... આ મામલે વધુ સુનાવણી 26મી જુનના રોજ હાથ ધરવામાં આવશે...


અગ્નિકાંડમાં ભોગ બનનાર કરિશ્મા ગજેરા ના પિતા જયસુખલાલ ગજેરાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા માંગ કરી હતી કે આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓ ને મોત નિપજયા હતા ત્યારે આ મુદ્દે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા આરકેડના બિલ્ડર હસમુખ વેકરીયા,  જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો...

અરજદારનો આક્ષેપ છે કે આગની ઘટના બાદ પણ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યો ન હતો જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરુણાંતિકા સર્જાઇ હતી... જવાબદાર લોકો વિરૂધ આકરા પગલા ના લેવાય હોવાથી સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કંઈ ન થતા  ગુજરાત હાઇકોર્ટમાં કેસની તપાસ સીઆઇડીને સોંપવા રિટ દાખલ કરાઈ હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.